________________
૨૦.
તાખ્યાન-ઉત્તરાધ.
મહાભૂતથી સ્થૂલ શરીર ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે પિંડ અને બ્રહ્મની એકતા સમજવાની છે. સ્થૂલ શરીરમાં અહં૫ણાનું અભિમાન ધારણ કરનાર જીવાત્મા એ બ્રહ્મનું પ્રતિબિંબ છે-જીવાત્મા એ શુદ્ધ બ્રહ્મના અંશરૂપ છે. એજ જીવાત્મા અવિદ્યારૂપ ઉપાધિથી ઇશ્વરને પોતાનાથી ભિન્ન માને છે.અવિ. ઘારૂપ ઉપાધિવાળે જીવાત્મા કહેવાય છે અને માયારૂપ ઉપાધિવાળે ઈશ્વર મનાય છે. આમ ઉપાધિના ભેદથી જીવાત્મા અને ઈશ્વરનો ભેદ સમજાય છે. જ્યાં સુધી એવા પ્રકારની ભેદબુદ્ધિ રહે છે, ત્યાં સુધી જન્મ જરા, મરણ, ભય, શેક, દુઃખ વગેરેથી ભરપૂર સંસારની નિવૃત્તિ થઈ શકતી નથી. અત એવ જીવ અને ઈશ્વરમાં ભેદબુદ્ધિ રવીકારવા લાયક નથી.
પ્રશ્ન-અહંકારવાળા અલ્પજ્ઞ જીવાત્માની અહંકાર રહિત સર્વજ્ઞ ઇશ્વરની સાથે “તત વમસિ” આ મહાવાકયદ્વારા અભેદબુદ્ધિ કેવી રીતે થઈ શકે? કારણ કે બનેના ધર્મો વિરુદ્ધ છે. આ પ્રશ્ન દરેકને થઈ આવે એ સ્વાભાવિક છે.
' ઉત્તર-પૂલ શરીર અને સૂક્ષ્મ શરીરના અભિમાનવાળી વ્યક્તિ તત પદને મુખ્યર્થ છે-શકિતવડે તત પદને “તેજ' વાચ્યાર્થ છે. ઉપાધિથી તદ્દન રહિત અને સમાધિદશાથી યુકત
વ્યક્તિ એ “” પદને ગાણ અર્થ છે. એવી રીતે “સર્વજ્ઞ” વિશેષણયુકત ઈશ્વરપદને વાચ્યાર્થ છે. અને ઉપાધિરહિત શુદ્ધ ચિતન્ય સ્વરૂપ તત્વ પદને લક્ષ્યાર્થ હોવાથી જીવ અને ઈશ્વરને અભેદ માનવામાં કાંઈ દેષ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org