________________
મીમાંસકદશ ન,
૧૭.
પ્રાણવાયુ સમજ, તેનુ સ્થાન નાસિકા વિગેરે સમજવું અધેગમનસ્વભાવવાળે અપાનવાયુ સમજવા, તેનું સ્થાન ગુદા વિગેરે સમજવું. સત્ર ગમન કરવાવાળા વ્યાનવાયુ સમજવા, તેનું સ્થાન સંપૂર્ણ શરીર સમજવું, ઊર્ધ્વ ઉત્ક્રમણ કરવાવાળા વાયુને ઉદાનવાયુ સમજવા, તેનું સ્થાન ક વિગેરે સમજવુ'. ઉષ્ણુ અન્ન, શીત અન્ન, વિગેરેને સરખુ` કરવાવાળા વાયુને સમાનવાયુ સમજવા, તેનુ સ્થાન નાભિ સમજવું. તમે ગુયુક્ત આ પાંચ વાયુથી અને અપ ચીકૃતપાંચમહાભૂતથી પ'ચીકૃત પાંચ મહાભૂત ઉત્પન્ન થાય છે.
અન્તઃકરણ તથા પાંચ જ્ઞાનેન્દ્રિયા મળીને જે ઉત્પન્ન થાય, તે મનેામય કેશ કહેવાય છે.
બુદ્ધિ અને પાંચ જ્ઞાનેન્દ્રિયા મળીને જે પેદા થાય તેને વિજ્ઞાનમય કેશ કહેવામાં આવે છે.
કારણ શરીર અને અવિદ્યામાં રહેલ પ્રિય વિગેરે વૃત્તિ સહિત મલિન સત્ત્વવાળાને આનન્દમય કોશ કહેવામાં આવે છે.
પ્રિય-મેદ-પ્રમેદ વૃત્તિ.
ઈષ્ટ વસ્તુના દર્શનથી પેદા થતા આનન્દને પ્રિયવૃત્તિ ૧, પ્રિયવસ્તુની પ્રાપ્તિથી ઉત્પન્ન થતા આનન્દને મેાવૃત્તિ ૨ અને પ્રિય વસ્તુના ઉપભાગથી થતા આનન્દને પ્રમેાવૃત્તિ ૩ કહેવામાં આવે છે.
રજોગુણ અને તમે ગુણથી દબાયેલા સત્ત્વગુણને મિલન સત્ત્વ કહેવામાં આવે છે,
2
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org