________________
તત્વાખ્યાન-ઉત્તરાર્ધ.
.
મીમાંસક અને ઉત્તર મીમાંસક. તેમાં પણ પૂર્વ મીમાંસક તે જૈમિનીય દર્શનના નામથી પ્રસિદ્ધ છે અને ઉત્તર મીમાંસકદર્શનને વેદાન્તિકદર્શન-બ્રહ્માદ્વૈતદર્શન-અતિદર્શન એવાં ઉપનામ આપવામાં આવેલાં છે.
પૂર્વમીમાંસકને વેષ, પ્રાયે સાંખ્ય દર્શનીના જે હોય છે. જે લેકે એક દંડને રાખે છે, તેઓ એકદંડ કહેવાય છે અને જેઓ ત્રણ દંડ રાખે છે, તેઓ ત્રિદંડી કહેવાય છે. તેઓ ગેરુથી રંગેલ વસ્ત્રને ધારણ કરે છે, મૃગચર્મનું આસન અને કમંડલુ રાખે છે, શુરમુંડન કરાવે છે. તેઓના સાધુએ બ્રાહ્મણ હેય છે, ધર્મોપદેશ કરવાવાળાને જેમ બીજા લેકે ગુરુ તરીકે માને છે, તેમ તેઓ માનતા નથી, પરન્તુ વેદ-વાક્યને જ ગુરુ તરીકે તેઓ માને છે. દીક્ષા સમયે “તવ સંન્યસ્ત, તવ સંન્યસ્ત” એવા પદનું ઉચ્ચારણ કરવા પૂર્વક દીક્ષા આપવામાં આવે છે, યજ્ઞોપવીતને ત્રણવાર પાણીથી ધોઈને તેઓ પાન કરે છે યજન, યાજન, વિગેરે કર્મને તેઓ નિરન્તર કરે છે અને બ્રહ્મસૂત્રને પણ ધારણ કરે છે. ગૃહસ્થાવસ્થામાં શૂદ્રના ઘરના આહારને સર્વથા ત્યાગ કરવામાં આવે છે. તેઓના બે ભેદ છે, જેઓ ભટ્ટના અનુયાયિઓ છે તેઓને ભટ્ટ કહેવામાં આવે છે અને જેઓ પ્રભાકરના અનુયાયિઓ છે તેઓને પ્રભાકર કહેવામાં આવે છે. ભટ્ટ લેકે છ પ્રમાણને માને છે અને પ્રભાકર લેકે પાંચ પ્રમાણ માને છે. તેઓના મન્તવ્ય પ્રમાણ વિગેરેનું નિરીક્ષણ આગળ કરવામાં આવશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org