________________
૪૪૨
તત્ત્વાખ્યાન,
સ્થિતિ આવા પ્રકારની છે, ત્યારે અભિવન્ય પણું ન હોવાથી સ્ત્રીઓને મુકિત મળતી નથી એ વાત કેવી રીતે માની શકાય?
હવે રહે બીજો પક્ષ તેમાં પણ ગણધરની અપેક્ષાએ તીર્થકરે અધિક ગુણવાળા હોવાથી તીર્થકરોની અપેક્ષાએ ગણધમાં અભિવન્તપણું નહેવાથી તેને પણ મુકિત ન મળવી જોઈએ. કિંશ ચતુર્વિધ સંઘ તીર્થકરને પણ વન્ય હેવાથી અને તેની અન્તર્ગત સાથ્વયે પણ આવવાથી જ્યારે તીર્થકરને અવિન્ધ થઈ, ત્યારે તેમાં હીન સર્વીપણું કેવી રીતે સંભવિ શકે તે વિચારણીય છે.
સમારણના કર્તાપણું ન હોવાથી સ્ત્રીને મુક્તિ નથી એ વાત પણ અગ્ય સમજવી, કારણ કે એવી રીતે જે માનવામાં આવે તે ગણધરે આચાર્ય વિગેરેને જ મુકિત મળી શકે, શિષ્યને બીલકુલ મળે જ નહિ, કેમકે સ્મારણના કર્તાપણું તે તેમાં જ વિશેષ રૂપથી સંભવિ શકે છે, શિષ્યમાં તે હોઈ ન શકે, માટે આ યુકિત પણ સ્ત્રીને મુકિતમાં બાધકરૂપ નથી.
મહદ્ધિપણું ન હોવાથી સ્ત્રીઓને મુક્તિ મળતી નથી. આ કથન પણ અજ્ઞાનતાનું સૂચક સમજવું, કેમકે મુક્તિમાં મહદ્ધિપણું કારણ નથી; કિન્તુ શુભ અધ્યવસાય વિગેરે કારણ છે, આવી પરિસ્થિતિ હોવા છતાં પણ જે મહધિને મુકિતના કારણ તરીકે માનવામાં આવે તે ચક્રવતિ વિગેરે મહદ્ધિવાળા લેકોને જ મુક્તિ મળી શકે. શુભ અધ્યવસાય વિગેરે કારણસામગ્રી પાસે હોય, પરંતુ મહર્તિકપણું જેમાં ન હોય, એવા દઢપ્રહારિ, ચિલતિપુત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org