________________
જૈનદર્શન.
૪૪૪
વિગેરેને બીલકુલ મળી શકે નહિ, અને પરિસ્થિતિ છે તેથી ઉલટી જોવામાં આવે છે. કેટલાક ચક્રવર્તિ વિગેરે મહદ્ધિક લેકોને મોક્ષ મળી શકતો નથી અને દૃઢપ્રહારિ જેવા દરિદ્ર લેકેને મળે છે, ત્યારે મહદ્ધિને મોક્ષના કારણે તમે કેવી રીતે માની શકાય ? માટે તે પણ સ્ત્રીઓને મુક્તિમાં બાધક રૂપ નથી.
“માયા ઘણી હેવાથી સ્ત્રીઓને મુકિત મળતી નથી તે કથન પણ ઠીક નથી, કેમકે નારદ વગેરે મહામાયાવાળા હવા છતાં પણ જ્યારે તેને ત્યાગ કરી ધ્યાનારૂઢ થયા ત્યારે તેઓ મોક્ષસાધક અનુષ્ઠાન દ્વારા કેવલજ્ઞાન સંપાદન કરી મુકિત મેળવી શક્યા તે પછી સ્ત્રીઓ પણ તેને ત્યાગ કરી મિક્ષ કેમ ન મેળવી શકે? કિંચ એ એકાન્ત નિયમ નથી કે સ્ત્રીઓમાં માયાઘણીજ હોય, અને પુરૂષમાં હેય જ નહિ, તે શા માટે એવાં ખોટાં બાનાં કાઢી અસત્ય પ્રરૂપણ કરી મિથ્યાત્વને વધારવું જોઈએ?
આવી રીતે વિચાર કરતાં કંઈ પણ રીતે સ્ત્રીઓમાં પુરુષની અપેક્ષાએ મુક્તિસાધનમાં હીનસવપણું છે જ નહિ, તે પછી મુક્તિ મેળવવવામાં તેને બીજો કયે બાધ રહ્યા તે જણાવશે.
અનુમાન પ્રમાણ પણ સ્ત્રીઓને મુકિતસાધનમાં સાધકરૂપ છે. પુરૂષની માફક અવિકલ કારણસામગ્રીને તેને પણ સંભવ હોવાથી તેને પણ મુકિત જરૂર મળી શકે છે, અને કારણસામગ્રી તે સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર વિગેરે સ્ત્રીઓમાં
જ્યારે સારી રીતે ઉપલબ્ધ થઈ શકે છે, તે પછી મુક્તિ પણ કેમ ન મેળવી શકે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org