________________
૪૩૨
તન્વાખ્યાન.
પાલના જ કેવી રીતે થઈ શકવાની? તેને પણ સાથે વિચાર કરશે. માટે વસ્ત્રના પરિગ માત્રથી ચારિત્રને અભાવ થાય છે, એ વાત અસંભવિતપ્રાયઃ સમજવી. અપરંચ ધારે કે શિક્ષા માટે ફરવા જતાં અને ટાઢથી ઠરી ગયેલ સાધુને જોઈ કોઈના મનમાં અનુકંપા થવાથી તેણે આવી વયને તેની ઉપર નાખી દીધું; તે વખતે તેને પણ વસ્ત્રને ઉપલેગ માત્ર થવાથી ચારિત્રને અભાવ થવો જોઈએ. અને એમ તે આપ બીલકુલ માનતા નથી. તે પછી ઉપભેગમાત્રથી ચારિત્ર નષ્ટ થાય છે એમ બોલાય જ કેવી રીતે?
વસ્ત્ર પરિગ્રહરૂપ હેવાથી તેને માનવામાં ચારિત્રને અભાવ થાય છે એ પક્ષ માનવામાં પણ ચાર પ્રશ્નને અવકાશ રહે છે. શું મૂછનું કારણ હોવાથી વસ્ત્ર પરિગ્રહરૂપ છે? અથવા ખાલી ધારણ કરવાથી પરિગ્રહરૂપ છે? અથવા કેવલ સ્પર્શ કરવાથી પરિગ્રહરૂપ છે? અથવા ઉત્પત્તિમાં હેતુ હોવાથી પરિગ્રહરૂપ છે?
તેમાં પ્રથમ પક્ષ તે અનાદરણીય સમજ, કેમકે જેવી રીતે વઝા મૂછનું કારણ છે, તેવી રીતે શરીર પણ મૂછીનું કારણ છે કે નહિ? એ પણ સાથ પૂછવામાં આવે છે. તેના ઉત્તરમાં આપ એમ કહેશે કે શરીર પણ મૂછીનું કારણ છે. ત્યારે તે જેવી રીતે વસ્ત્ર મૂછનું કારણ હેવાથી પરિત્યાગ કરવા લાયક છે, તેવી જ રીતે શરીર પણ ત્યાગ કરવા લાયક કેમ નથી? એવી શી રાજાજ્ઞા છે કે મૂછનું કારણ પણું બંનેમાં સરખું હોવા છતાં એકને ત્યાગ કરવામાં ચારિત્રની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org