________________
૪૦૦
તસ્વાખ્યાન,
ચારિત્ર વિગેરેને અભાવ હરીમાં છે, એમ કહેવા માગે છે, અને થવા મન્દ સત્ત્વવાળી હોવાથી આ બે પ્રકને પૂછવામાં આવે છે.
- વર્લ્સ ચાસ્ત્રિના અભાવમાં કારણ છે, એ જે પ્રથમ પક્ષ છે, તેમાં પણ શું વસ્ત્ર પરિભેગ માત્રથી ચારિત્ર નષ્ટ થાય છે, અથવા તે પરિગ્રહરૂપ હેવાથી ચારિત્રને નષ્ટ કરનારૂં છે. આ બે પ્રકોને અવકાશ જરૂર રહેવાને જ. ખાલી પરિભેગ માત્રથી ચારિત્ર નષ્ટ થાય છે, એમાં પણ શું વસ્ત્રને ત્યાગ કરવામાં સમર્થ ન હોવાથી કહે છે, અથવા સંયમમાં ઉપકારી હવાથી કહે છે. આ બે પ્રશ્ન જરૂર પેદા થવાના.
તેમાં પ્રથમ પક્ષ તે બીલકુલ આદરણીય નથી, કેમકે જ્યારે સુંદર પ્રકારની વૈરાગ્યદશા જાગતી હેવાથી અત્યન્ત પ્રાણપ્રિય એવા પિતાના પતિને પણ ત્યાગ કરવામાં જેને લગાર માત્ર સંકેચ થતું નથી, તેવી મહાસતીઓને શું વસ્ત્રના ત્યાગમાં લગાર માત્રમાં સંકોચ થાય ખરે? અર્થાત બીલકુલ નહિ. અને બીજો પક્ષ માનવામાં તે જેવી રીતે સ્ત્રીઓને વિશ્વ સંયમમાં ઉપકારી છે, તેવી રીતે પુરુષને પણ કેમ ન હોઈ શકે? એવી જિજ્ઞાસા જરૂર થવાની. અને એવી શી રાજાજ્ઞા છે કે સ્ત્રીને જ વસ્ત્ર સંયમમાં ઉપકારી છે, પુરુષને નહિ, માટે આ પક્ષ પણ યુક્તિ શૂન્ય હોવાથી માનવા લાયક નથી, કેમકે સ્ત્રીઓની માફક પુરુષને પણ સંયમમાં વણ ઉપકારી હોવાથી જરૂર રાખવું જોઈએ, તેમાં લગાર માત્ર દોષને અવકાશ છે જ નહિ, ઉલટી ગુણાધાયકતા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org