________________
જૈનદર્શન.
૪૨૫
-
~
~
~
સામાન્ય ચેગિ મહાત્માને પણ શત્ર મિત્ર ઉપર સમભાવ હોય છે, તે પછી ઈશ્વરની કેટીએ પહોંચેલા મહાત્માને તે કે ઉચ્ચકેટિને સમભાવ હવે જોઈએ? અને
જ્યાં આટલી પણ સહનશીલતા ન હોય, ત્યાં શ્રેષનું સામ્રાજ્ય હેય, તેમાં કંઇ નવાઈ જેવું નથી, અને જ્યાં દ્વેષ હોય ત્યાં રાગ તે મજૂદ છે, અને જ્યારે રાગ દ્વેષ વિગેરે દૂષણે આવી ગયાં. ત્યારે તેને વીતરાગ કેવી રીતે કહી શકાય? અને તેવી વિતરાગતા સિવાય મોક્ષમાં જવાય જ કેવી રીતે? એ તે કેવલ વ્યન્તરનિકામાં ગયેલા હોવાથી પોતાના તીર્થનું અપમાન જોઇ, ગુસ્સે થવાથી પાછા આવી શકાય છે. પરંતુ ત્યાં પણ એ નિયમ તે જરૂર છે કે જેટલું આયુષ્ય બાંધેલું હોય, તેટલું નિરુપક્રમ હેવાથી પૂરે પુરૂ ભગવ્યા સિવાય અવાય જ નહિ, તે પછી મેક્ષમાંથી તે અવાય જ કેવી રીતે? માટે આવા ગપગેળા મારી બીજાને ફસાવવાની ચેષ્ટા કરવી, એ બુદ્ધિમત્તા કહી શકાય જ નહિ.
કિંચ વધ્યાને પુત્ર થાય, વાયુ તમામ સ્થિર થઈ જાય, જગતમાં જેટલું પાણી છે તે તમામ બળીને રાખ થઈ જાય, ગધેડાને શીંગડાં આવી જાય, આવી અસંભવિત વાતો કઈ કાળે થઈ નથી, અને થવાની પણ નથી, તે પણ કદાચ કોઈ દેવવિશેષ માયાજાળ રચી લેકેને આવી રીતે બતાવી શકે, પરંતુ મેક્ષમાં ગયેલા તે કદાપિ પાછા આવવાના જ નહિ, એ વાત ધ્રુવ સમજવી. અપચ તમામ છ મોક્ષમાં જવાથી સંસાર જીવશુન્ય થઈ જવાને, એવી જે આપત્તિ આપી તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org