________________
જેનદર્શન.
૪૧૭
ત્યારે અન્ન-પાન વિગેરે ભેગે પગની સામગ્રી પણ વધ્યા પાસે પુત્રના મનોરથની માફક નકામી જ સમજવી, કિંચ જેમ જે મનુષ્યને ખસ, દાદ, ખુજલી વિગેરે થઈ હોય, તેને જ ખણવાની ઈચ્છા થાય છે. અને જેને તે બીલકુલ નથી, તેને ખણવાની ઇચ્છા પણ બીલકુલ થતી નથી. તેની માફક સ્ત્રી વિગેરેની અભિલાષા પણ વેદ મેહનીયના ઉદયથી થતી હોવાથી જ્યારે તેને સર્વથા ક્ષય થયે, ત્યારે સ્ત્રી વિગેરેની અભિલાષા તે થાય જ કયાંથી? એ વાત સહજ સમજી શકાય તેમ છે.
તથા જે બેસતાં બેસતાં થાકી ગયેલ હોય, તેને ઉભું થવાનું મન થાય. અને જેને ચાલતાં ચાલતાં પરિશ્રમ થયે હોય તેને ગાલ વિગેરેમાં બેસવાનું મન થાય. જેના ઘરમાં હવા વિગેરેનું સારી રીતે સાધન ન હોય, અને અશાતાના ઉદયથી તબીયત સારી રહેતી ન હોય, તેને બગીચા વિગેરેમાં શુદ્ધ હવા ખાવાનું મન થાય છે. આ તમામ પ્રકારની હવા ફરવાની, બેસવા ઉઠવાની, ખાવા પીવાની, લેવા દેવાની કિયાએ કર્મ જન્ય છે. જ્યારે કર્મને જ સર્વથા અભાવ થયે, તે પછી બીજના અભાવમાં અંકુર પેદા ન થવાની માફક તેવી ચેષ્ટાઓ મુક્તાત્મામાં હોય જ કયાંથી? માટે જે અનાબાધપણુરૂપ સ્વાથ્યની પરમ ઉત્કૃષ્ટ કોટીએ પહોંચેલ છે; તેને અન પાન વિગેરે તમામ ભેગપભેગની સામગ્રીઓ નપુંસકને કામિનીની અભિલાષાની માફક તદ્દન નકામી સમજવી અને તેવી શંકા પણ અજ્ઞાનજન્ય સમજવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org