________________
જૈનદર્શને.
રિક, માનસિક વિગેરે પીડાઓથી પણ સર્વથા રહિત અને
જ્યાં એકાન્ત સુખ હોય, તેને મેક્ષ કહેવામાં આવે છે. તથા શ્રુતિ પણ મેક્ષસુખ વિષયમાં પિતાને આ અભિપ્રાય જણાવે છે કે
आनन्दं ब्रह्मणो रूपं तच मोक्षेऽभिव्यज्यते ।। यतो दृष्ट्वा परं ब्रह्म सर्व त्यजति बन्धनम् ॥ १ ॥
ભાવાર્થ:-આનન્દ બ્રહ્મનું સ્વરૂપ છે, અને તે મેક્ષમાં પ્રકાશિત થાય છે, જ્યારે પરમ બ્રહ્મને દેખે છે, ત્યારે તમામ બધાને ત્યાગ કરે છે. અને તે વખતે મુક્તામા પતે નિત્ય આનન્દ સ્વરૂપ સુખને અનુભવ કરે છે. સાંખ્યદર્શનકાર પણ આ વાતને ટેકે આપે છે.–
यन्न दुःखेन संभिन्नं न चभ्रष्टमनन्तरम् । अभिलाषापनीतं यत्तज्ज्ञेयं परमं पदम् ॥१॥
–સાંખ્યતત્ત્વમુદી આ મૂળ લેક તંત્રવાર્તિકને છે). ભાવાર્થ-જે સુખ લગાર માત્ર પણ દુઃખથી મિશ્રિત ન હોય, ઉત્પન્ન થયા બાદ જેને વિનાશ ન હોય, અને અનેક પ્રકારની વૈષયિક અભિલાષાએથી જન્ય ન હોય, તેવું સુખવિશેષ જ્યાં હોય તેને પરમાનન્દ (મેક્ષ) કહેવામાં આવે છે.
પ્ર. જ્યાં મોદક વિગેરે મિષ્ટ ભજન, દ્રાક્ષાપાન વિગેરે સુન્દર પાન, બરફી, પેંડા વિગેરે ખાદ્ય ચીજો, ચન્દન, અત્તર વિગેરે સુગન્ધિ વિલેપન ચીજો, માલા વિગેરે તથા આભૂષણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org