________________
જૈનદર્શને.
૪૧૫
તમામ પ્રકારના સુખને અભાવ માને છે? આ બે પ્રકા પૂછવામાં આવે છે.
તેમાં પ્રથમ પક્ષ માનવામાં તે અમને પણ ઈષ્ટ છે. કેમ કે અમો પણ શુભકર્મવિપાકજન્ય સંસારસુખને અભાવ મેક્ષમાં બરાબર માનીયે છીયે, તે પછી આપત્તિનું કારણ જ કયાં રહ્યું ? માટે પ્રથમ પક્ષ તે સિદ્ધ સાધનરૂપ સમજ. હવે રહ્ય બીજો પક્ષ, તેમાં તે આત્મા પોતે જ સુખસ્વરૂપ છેવાથી સુખને અભાવ મેક્ષમાં થાય જ કેવી રીતે ? એમ હવા છતાં પણ જે તેને ઉચ્છેદ માનવામાં આવે તે તેને ઉચ્છેદ થવાથી પદાર્થને જ ઉછેદ થવાને, તે પછી કઈ પણ ચીજ રહેવાની જ નહિ, ત્યારે સંસાર મેક્ષની તે વાત જ શી કરવી ! માટે બીજે પક્ષ કિપાકફલતુલ્ય હેવાથી અનાદરણીય સમજ
પૂ૦ સુખ આત્માને સ્વભાવ છે, તેમાં કઈ પણ પ્રમાણ ન હોવાથી તે વાત માનવા લાયક નથી.
ઉ૦ જ્યારે અનુમાન પ્રમાણે, આગમપ્રમાણ વિગેરે પ્રમાણે વિદ્યમાન છે. ત્યારે પ્રમાણ નથી, એમ કહી ભૂકો આક્ષેપ કરવા તૈયાર થવું, એ કઈ બુદ્ધિમત્તા કહી શકાય નહિ.
વૈષયિક સુખની માફક બુદ્ધિને અત્યન્ત પ્રિય વિષય હેવાથી આત્મા સુખ સ્વભાવવાળે છે. જેમ ખેડુતને પ્રયત્ન બુદ્ધિપૂર્વક થતું હોવાથી તે ખેડુત સુખને માટે પ્રયત્ન કરે છે, તેમ બુદ્ધિપૂર્વક પ્રયત્ન થતું હોવાથી મુમુક્ષુને પ્રયત્ન પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org