SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદર્શન. rok થવાથી તથા ધમસ્તિકાય વિગેરે ગતિ સાધન સાધારણ કારણે ન હોવાથી તેની આગળ ગમન થતું નથી. આ પૂર્વ પ્રગ દષ્ટાંત સમજવું. તથા જેમ તું બડા ઉપર ચીકણી માટીના ઉપરા ઉપરી આઠ લેપ કરી જલાશય વિગેરેમાં નાંખવાથી જેમ તે તુંબડું તળાવના તળીએ બેસી જાય છે. અને તે ઉપરથી માટીના લેપને ધીરે ધીરે ધેવાથી જેમ જેમ માટીને લેપ " ખસતે જાય છે, તેમ તેમ તે ઉપર આવતું જાય છે, અને તદ્દન માટીને લેપ સાફ થવાથી તુંબડું બીલકુલ ઉપર આવી જાય છે. અને ત્યાર બાદ તે તુંબડું નીચે જતું નથી તેમ ઉપર આગળ પણ જતું નથી. કિન્તુ ત્યાંનું ત્યાં જ રહે છે. તેમ જીવ રૂપ તુંબડાની ઉપર કર્મરૂપી માટીના ઉપરાઉપરી આઠ પ્રકારના લેપ થવાથી ખૂબ ભારે થઈ સંસાર સમુદ્રમાં ડુબી જાય છે. અને જ્યારે સમગ દર્શન વિગેરે મોક્ષ સાધન રૂપ જલને સંગ થવાથી કર્મ રૂપી માટી ધીરે ધીરે ભીંજાઈ ને ખસતી જાય છે. અને જ્યારે સપૂર્ણ રત્નત્રય રૂપી જલને સંપૂર્ણપણે સંગ થાય છે, ત્યારે એકદમ કર્મરૂપી માટીને સર્વથા પેઈને સાફ થવાથી શુદ્ધ નિર્મલ બની સંસાર સમુકની ઉપર એકદમ લેકાન્ત સુધી આવી જાય છે. અને ત્યાર બાદ નીચે અથવા તેની ઉપર ગતિ થતી નથી, કેમકે નીચે ગમનમાં ગુરુતા કારણ છે અને કર્મજન્ય ગુરુતા તે સર્વથા ચાલી ગઈ છે ત્યારે નીચે ગમન કેવી રીતે થાય? તેવી રીતે ઉર્વ ગમનમાં ધમસ્તિકાય કારણ છે. અને તે પણ આગળ ન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy