________________
४०८
તત્ત્વાખ્યાન.
ઉ૦ ઉપર્યુંકત શંકા જૈનપ્રક્રિયાથી સર્વથા અનભિજ્ઞ લોકોને જ થઈ શકે તેમ છે. કેમકે અમે તે ધર્મ અને ધર્મિમાં આપસમાં સર્વથા ભેદ માનતા નથી તેમ સર્વથા અભેદ પણ માનતા નથી. કિધુ કથંચિદુ ભેદભેદરૂપ જાત્યનરને આશ્રય લેવાથી અમારે ત્યાં કઈ પણ જાતના દેને અવકાશ છે જ નહિ, એ તે સર્વથા ભેદ તથા અભેદવાદિના ઘરમાં જ રહેવાને.
પ્ર. જે સમયે કામણ શરીર વિગેરેને સર્વથા વિનાશ થયે તે સમયે મુક્ત આત્માનું ઊર્ધ્વગમન કેવી રીતે થાય ? કેમકે ગમનમાં કર્મ કારણ છે. અને કર્મ તે બીલકુલ છે જ નહિ, તે પછી ગમન થાય જ કેવી રીતે?
ઉ૦ પૂર્વ પ્રયુગ, અસંગભાવ, બન્ધચ્છદ તથા ઊર્ધ્વગમન સ્વભાવ આ ચાર દષ્ટાન્ત મુક્ત જીવને ઊર્ધ્વગમનમાં સાધનરૂપ હેવાથી અમારે ત્યાં કોઈપણ જાતની અડચણ છે જ નહિ, તે લગાર વિવેચનદ્વારા સમજાવવામાં આવે છે.
જેમ કુંભારના ચક્રમાં, હિંડેલામાં તથા બાણ ફેંકવામાં પ્રથમ એક વાર પ્રાગદ્વારા ચક ભમાડવાથી અને બાણને અત્રથી ફેંકવાથી જ્યાં સુધી તે ક્રિયામાં જેટલે વેગ હોય ત્યાં સુધી પ્રયત્ન વિના પણ ચક્ર ભમે છે, હિંડેલે હાલે છે અને બાણ ચાલ્યું જાય છે, તેમ સત્ર પણ કમને ક્ષય થયે છે, તે પણ પ્રથમના કર્મોના વેગવાળા સંબન્ધદ્વારા જીવ ઊ લેકાન્ત સુધી જાય છે, અને પછી વેગ બન્ય
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org