________________
૪૦૬
તસ્વાખ્યાન.
ઓછા થાય છે. અને સામગ્રીની સંપૂર્ણ ઉત્કર્ષદશામાં તે રાગ વિગેરેને સર્વથા ક્ષય થાય છે એમ જરૂર માનવું જોઈએ.
પૂ. જેમ જ્ઞાનાવરણીય કર્મની ઉદયાવસ્થામાં જ્ઞાનની મદતા જોવામાં આવે છે, પરંતુ તેની પ્રકર્ષ ઉદયાવસ્થામાં સંપૂર્ણ જ્ઞાનને વિનાશ બીલકુલ જોવામાં આવતું નથી, તેમ પ્રતિપક્ષ ભાવનાની ઉત્કર્ષ સ્થિતિમાં પણ રાગ વિગેરે દેને નિર્મૂળ વિનાશ ન થ જોઈએ.
ઉ૦ ઉપર્યુંકત શંકા પણ અજ્ઞાનમૂલ જ સમજવાની છે. કેમકે બાધ્ય ચીજે બે પ્રકારની છે. એક સહજ સ્વભાવવાળી અને બીજી સહકારી સંપાદિત સ્વભાવવાળી. તેમાં જે સહજ સ્વભાવવાળી ચીજ હોય તે બાધકના ઉત્કર્ષ માં નિર્મૂળ વિનાશને પામતી નથી, તેમાં જ્ઞાન તે આત્માના સહજ સ્વભાવ રૂ૫ છે. માટે અત્યંત પ્રકૃષ્ટ જ્ઞાનાવરણના ઉદયમાં પણ જ્ઞાનને નિર્દૂલવિનાશ તે કદાપિ થવાને જ નહિ. અને રાગ વિગેરે દે તે ચારિત્રમોહનીય કર્મના વિપાકેદયથી સંપાદિત સત્તાવાળા છે. માટે જ્યારે કર્મને નિર્ભેળ વિનાશ થાય, ત્યાર પછી રાગ વિગેરેની સત્તા તે રહે જ કયાંથી? એ વાત તે સહજ સમજી શકાય તેમ છે.
કિંચ ઉપાદાન કારણ વિનાશ અવસ્થામાં પણ કાર્યની સત્તા માનવામાં આવે તે સર્વત્ર સર્વ કાર્યની સત્તા રહેવી જ જોઈએ. અને એમ તે કોઈ પણ માનતું નથી, માટે ઉપર્યુક્ત શંકા નિર્મૂળ સમજવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org