________________
તત્ત્વાખ્યાન.
હોય ત્યાં સુધી વિષયાતીત રૂપ જે આત્મીય સુખ અને તે રૂપ જે મુકિત તેની તે વાત જ શી કરવી? કિંચ સુખને સર્વથા નિત્ય માનવામાં સંસારાવસ્થામાં પણ તેવા સુખની પ્રાપ્તિને પ્રસંગ જરૂર આવવાને.
વેદાન્તી સાથે મુક્તિને વિચાર.
અવિદ્યાની નિવૃત્તિ થવાથી વિજ્ઞાનસુખસ્વરૂપ જે કેવલ આત્મા તે જ મેક્ષ સમજ, આ કથન પણ ઠીક નથી. કેમકે વિજ્ઞાન સુખસ્વરૂપ બ્રહ્મ તે ફૂટસ્થ નિત્ય હેવાથી આપના મત પ્રમાણે મુક્ત અને સંસારિમાં કંઈપણ વિશેષતા રહેવાની જ નહિ, કિંચ અવિદ્યા પણ એક કાલ્પનિક આકાશ. પુષ્પ જેવી ચીજ છે, વાસ્તવિક પદાર્થરૂપ છે જ નહિ, તે પછી તેવી મિા સ્વરૂપવાળી અવિદ્યા ભલે રહે તે પણ સંસારિ આત્માને કંઈ અડચણ કરતી ન હોવાથી સંસારદશામાં પણ આપના મત પ્રમાણે મુક્તપણું કેમ ન હોઈ શકે? અને એમ થવાથી તે મુકત અને સંસારિના વ્યવહારને જ લેપ થવાને, અવિદ્યાના સાધક પ્રમાણની ગવેષણ કરવા જતાં સદ અસદુ વિકલ્પ ઉદ્ભવતા હોવાથી તેની સિદ્ધિ કેઈપણ રીતે થવાની જ નહિ, જ્યાં ભ્રાન્તિનું સામ્રાજ્ય હેય, ત્યાં પદાર્થની સિદ્ધિની તે વાત જ શી કરવી. માટે વેદાન્તિકના મત પ્રમાણે મુક્તિની ઉપપત્તિ કદાપિ થઈ શક્તાની જ નહિ, એનું વિશેષ વિવેચન વેદાન્તની સમાચનાના પ્રસ્તાવમાં કરેલું હોવાથી અત્ર તે માત્ર દિગદર્શનરૂપ બતાવવામાં આવ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org