________________
જૈનદર્શન.
૨૯8
પરિચય આપનાર હોવાથી ત્યાજ્ય છે. પ્રકૃતિ અને આત્માને સંગ શાથી થાય છે? પહેલાં તે તે સંબધિ વિચાર કરે આવશ્યક છે. શું પ્રકૃતિથી આત્માને સંગ થાય છે? અથવા આત્માથી પ્રકૃતિને સંગ થાય છે? એ બે પ્રશ્નને પૂછવામાં આવે છે, તેમાં જે પ્રથમ પક્ષ માનવામાં આવે તે પ્રકૃતિ પિતે વ્યાપક હેવાથી જ્યારે મેક્ષમાં પણ તે બરાબર છે ત્યારે મુક્ત આત્માને પણ તેની સાથે સંબન્ધ હોવાથી તેમાં પણ સંસારીપણની આપત્તિ જરૂર આવવાની, માટે પ્રથમ પક્ષ તે આપનાથી માની શકાય તેમ છે જ નહિ. હવે રહ્ય બીજો પક્ષ, તેમાં પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા કયા કારણને લઈને પ્રકૃતિને ગ્રહણ કરે છે? તે ખાસ સમજાવવું પડશે જ. તેને ઉત્તર પ્રકૃતિ અથવા આત્મા આ બેમાંથી એક તે જરૂર આપ જ પડશે, તેમાં પણ પ્રથમ હેતુ આપવામાં તે જેમ આત્માને પ્રકૃતિના સંગમાં પ્રકૃતિ કારણ છે, તેમજ મુક્તાત્માની સાથે તે સંગ પણ તે કારણથી કેમ ન થઈ શકે, કારણ કે પ્રકૃતિ સંગની પહેલાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તે જ્યારે બન્નેમાં બરાબર છે, ત્યારે એકની સાથે સંગ થાય, અને બીજાની સાથે ન થાય, તેનું શું કારણ? માટે પ્રથમ કારણ માનવામાં તે બકરું કાઢતા ઉંટને પ્રવેશ થાય, તેવા પ્રકારની વિપત્તિ પેદા કરાવનારું છે. અને બીજું કારણ માનવામાં તે આત્મા પિતે જ પ્રકૃતિ અને આત્માના સાગમાં કારણ છે. તેમાં પણ શું પ્રકૃતિ સહિત આમા સંગમાં કારણ છે? અથવા પ્રકૃતિથી રહિત આત્મા તેમાં કારણ છે? આ બે પ્રશ્ન પૂછવામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org