________________
૩૯૨
તસ્વાખ્યાન.
સ્વરૂપ માનેલ છે, તે જ નિરાબાધ છે, તે ખાસ ધ્યાનમાં રાખવું. નૈયાયિક તથા વૈશેષિક લેકે એ માનેલ મેક્ષ કિપાક– ફળ સમાન હોવાથી કેઈને પણ આદેય નથી.
સાંખ્ય લેકેની સાથે મોક્ષને વિચાર.
પ્રકૃતિના વિકારોને વિલય થવાથી પુરુષનું જે સ્વરૂપમાં અવસ્થાન તેનું નામ જ મેક્ષ છે; આ કથન પણ અયુક્ત સમજવું, કેમકે ફૂટસ્થ આત્મામાં સ્વરૂપાવસ્થાનરૂપ મોક્ષ કદાપિ સિદ્ધ થઈ શકવાને જ નહિ, એ વાત સાંખ્યદર્શનની સમાલોચનામાં જે કે સારી રીતે સ્પષ્ટરૂપથી સમજાવવામાં આવી છે, તે પણ અત્ર પ્રસંગ હોવાથી કંઈક વિવેચન કરવામાં આવે છે.
પૂ. પ્રકૃતિમાં રહેલ સુખ વિગેરેનું આત્મામાં પ્રતિબિંબ થવાથી પુરુષ પિતે ખુશી થાય છે, અને ખુશી થતું છતે પ્રકૃતિના સુખ સ્વભાવને મોહથી પિતાના માનીને સંસારમાં આનંદથી રહે છે, અને જ્યારે પ્રકૃતિ જૂદી ચીજ છે, અને હું તેથી અલગ છું એવી વિવેકખ્યાતિ થાય, ત્યારે જ્ઞાનને આવિર્ભાવ થતું હોવાથી મનમાં એમ સમજે છે કે આ પ્રકૃતિ જ દુઃખનું કારણ છે, મારે એની સાથે સંબધે રાખ સારે નથી. એવું જ્ઞાન સંપાદન કરી પ્રકૃતિ પતે પુરુષથી અલગ થાય છે, અને તે વખતમાં પુરુષનું જે સ્વરૂપમાં અવસ્થાન તેનું નામ જ મેક્ષ સમજવું. - ઉ૦ ઉપર્યુકત સાંથલેકેનું કથન પણ યુક્તિશૂન્યતાને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org