________________
જૈનદર્શન.
દ્વારા જે ચિન્તન કરવું, તે બીજું શુક્લધ્યાન સમજવું. આ બે શુકલ ધ્યાન ચઉદ પૂર્વધારી વ્યકિતએ જ્યારે ગુણશ્રેણિમાં આરોહણ કરે છે, ત્યારે તેઓને સંભવે છે. તેમાં પણ પ્રથમ ધ્યાનમાં ત્રણ વેગનું આલંબન છે, અને બીજામાં ત્રણ
ગમાંથી કેઈ એક ગનું આલંબન છે. પહેલું અર્થ, વ્યંજન અને રોગના સંક્રમણરૂપ છે, અને બીજામાં તેમ નથી.
જે અવસ્થામાં મન, વચન અને કાયાના વ્યાપારને સર્વથા નિરોધ થયું હોય અને કેવલ કાગ દ્વારા જ જે ધ્યાન કરવામાં આવે, તે ત્રીજું શુક્લ ધ્યાન સમજવું.
મેરૂના માફક નિશ્ચલ અવસ્થાવાળાનું જેમાં ત્રણમાંથી એક પણ યોગ છે જ નહિ, હસ્વ પાંચ અક્ષરના ઉચ્ચારણ કાલ એટલે જેમાં સમય છે, એવું જે ધ્યાન તે ચોથું શુકલ ધ્યાન કહેવાય. એ બે શુકલધ્યાન કેવલિને હોય છે. તેમાં તેરમા ગુણઠાણના અન્તમાં ત્રીજું અને ચઉદમામાં ચોથું- ભાવા–ચાર પ્રકારના શુક્લધ્યાનને જે વ્યક્તિ એગ્ય છે, તે સમજાવ્યા બાદ તેને ભાવાર્થ કહેવામાં આવે છે. પર્વતની ગુફા, સૂકા લાકડાનું પિલાણ, નદીનાં કેતરાં, સમશાન, જીર્ણ ઉદ્યાન, શૂન્ય ઘર, વિગેરેમાંથી કેઇ એક અનુ કુલ સ્થાનમાં છે, જે સ્ત્રી, ષડ, પશુ-પક્ષી વિગેરેને પણ અગોચર હેય તથા આગન્તુક જીવને પણ જ્યાં ઉપદ્રવ ન હોય, તેવા સ્થલમાં બાહા આલ્યન્તર કારણમાં કઈ પણ વિક્ષેપ કરનારૂં કારણ ન હોય, એવી શુદ્ધ ભૂમિમાં બેસી પલંક, પદ્માસન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org