________________
૩૭૪
તસ્વાખ્યાન
રીતે મૂછી ન હોવાથી પ્રતિબન્ધકને અભાવ થવાથી માસકલ્પ વિહાર વિગેરેની મર્યાદા પણ સારી રીતે સચવાય છે. અને તેમ થવાથી શરીરમાં પણ લાઘવપણું આવે છે. તથા શરીર ઘણું લખું પુષ્ટ ન હોવાથી ઉન્માદને પણ અભાવ થાય છે, અને તે દ્વારા ઈન્દ્રિનું દમન પણ સારી રીતે થઈ શકે છે. તથા આહારપાણુ માટે ગામમાં જતાં પ્રમાદ ન રહેવાથી અને ઉપગ પૂર્વક ચાલવાથી જીવ-જન્તને ઉપઘાત પણ થતું નથી. માટે અનશન વિગેરે તપસ્યા આચરનારને નિર્મમતા વિગેરે આવવાથી શુભ ધ્યાનમાં વ્યવસ્થિત હોવાને લીધે કર્મનિર્જર અવશ્ય થાય છે. અત એવ બાહા તપસ્યા જરૂર કરવી જોઈએ.
આભ્યન્તર તપસ્યા કને નાશ કરવામાં જે સત્યત સમર્થ હેય, તે આભ્યન્તર તપ કહેવાય, તેવા પણ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન આ છે ભેદ છે, હવે તે દરેકનું વરૂપ સમજાવવામાં આવે છે.
પ્રાયશ્ચિત્ત.
લાગેલાં દૂષણને ઉદ્ધાર કરવા પૂર્વક ચિત્તની શુદ્ધિ કરવામાં જે સમર્થ હેય, તે પ્રાયશ્ચિત્ત તપ કહેવાય, તેના આલેચન વિગેરે નવ ભેદો છે. આ નવ પ્રકારનું પ્રાયશ્ચિત્ત પણ દેશ, શક્તિ, સંહનાન, સંયમ, વિરાધના વિગેરેની તપાસ કરી ઘણું જ ગંભીરતા પૂર્વક આપવું અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org