________________
૩૭૦
તસ્વાખ્યાન.
-
-
-
-
--
-
-
રિદ્રધ્યાનને અને તમામ સાવદ્ય વ્યાપારને ત્યાગ હોય, તે અવસ્થા વિશેષનું નામ સામાયિક સમજવું.
જે અવસ્થામાં વિશુદ્ધતર પરિણામ પૂર્વક મહાવ્રતને ગ્રહણ કરી નિર્મલ ભાવમાં વર્તવું, તે અવસ્થાવિશેષનું નામ છેદપસ્થાપનીય સમજવું. ( જે અવસ્થામાં વિશેષ પ્રકારની તપસ્યા દ્વારા સર્વ સાવધના ત્યાગરૂપ વિરતિના પરિણામમાં ખૂબ વિશુદ્ધતા સંપાદન કરાવી શકાય, એ અવસ્થાવિશેષનું નામ પરિહારવિશુદ્ધિ ચારિત્ર સમજવું.
અપ્રમત્તભાવ, શુકલધ્યાન વિગેરે નિર્મલા સામગ્રી દ્વારા ઉત્તમ સંવનન ગુણશ્રેણિમાં ચઢતાં ચઢતાં દશમી ગુણશ્રેણિ સુધી પહોંચતાં જે વિશુદ્ધતર પરિણામ વર્તતા હોય, તેવા પરિ. શુમવિશેષનું નામ સૂક્ષ્મપરાય ચારિત્ર સમજવું.
સપૂર્ણ ચારિત્રમોહને દબાવવાથી અથવા ક્ષય કરવાથી અત્યન્ત નિર્મલ બની ગયેલ જે આત્માને પરિણામવિશેષ, તેને યથાખ્યાત ચાત્રિ કહેવામાં આવે છે.
ઉપર્યુક્ત તમામ પ્રકારની સામગ્રી આસવને રેકવામાં મુખ્ય સાધનરૂપ હેવાથી તેનું સંવર નામ આપવામાં આવ્યું છે.
નિર્જરા તત્વનું નિરૂપણ. તપસ્યા વિગેરેથી પરિપકવ થયેલાં કર્મ પુદગલેને આત્માના પ્રદેશથી જૂદાં કરવાં, તે નિર્જરા કહેવાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org