________________
જૈનદર્શન.
૩૬૫
-
-
-
-
માયાના ઉદયનાં નિમિત્તાને જે અટકાવી રાખે, તે આર્જવ કહેવાય.
મનની શુદ્ધિનાં કારણેને શાચ કહેવામાં આવે છે.
આગમમાં બતાવેલ માર્ગના અનુસાર પ્રવૃત્તિ કરાવનારું, જેથી લોકોને સારી રીતે સમજણ પડી શકે, અને જે બાલવાથી બીજાને સંશય પેદા ન થાય તેવું અને દેશ, ક્ષેત્ર, કાલ અને ભાવથી ઉચિત તથા અહંત શાસનમાં પ્રશસ્ત તથા વાચના, પ્રચ્છના પ્રશ્નોત્તર વિગેરેમાં નિરવ રૂપ જે વચન બોલવું, તે સત્ય કહેવાય
ઈસમિતિ વિગેરેમાં પ્રવર્તમાન વ્યક્તિએ એકેન્દ્રિય વિગેરે ને પીડા પેદા ન થાય તેવી રીતે જે વર્તવું, તે સંયમ કહેવાય
તપસ્યાનું સ્વરૂપ નિર્જરાતમાં કહેવાશે.
વસ્તુ પાસે વિદ્યમાન હોવા છતાં પણ વાસ્તવિક જ્ઞાન . પૂર્વક તેનું સ્વરૂપ જાણીને જે ત્યાગ કરે, તે ત્યાગ કહેવાય.
બાહ્ય આભ્યન્તર વસ્તુમાં જે મમતાને છેડવી, અર્થાત ધર્મનાં ઉપકરણ વિગેરે કઈ પણ ચીજમાં મૂછ ન રાખવી, તેનું નામ આકિચન્ય કહેવાય.
વ્રતની પરિપાલના માટે તથા જ્ઞાનની અભિવૃદ્ધિને માટે અને કષાયના પરિપાક કાજે જે ગુરુકુલમાં રહેવું, તે બ્રહ્મચર્ય સમજવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org