________________
જૈનદર્શન.
૩૫૩
નામકર્મનું વિવેચન નામકર્મના મુખ્ય બેતાલીશ ભેદે છે. અને અવાન્તર ઘણા ભેદે થાય છે. ગતિનામ, જાતિનામ, શરીરનામ, અંગેપાંગનામ, બન્ધનનામ, સંધાતનનામ, સંસ્થાનનામ, સંહનનનામ, સ્પર્શનામ, રસનામ, ગન્ધનામ, વર્ણનામઆનુપૂર્વીનામ, વિહાગતિનામ, પરાઘાતનામ, ઉચ્છવાસનામ, આ તપનામ, ઉતનામ, અગુરુલઘુનામ, તીર્થંકરનામ, નિર્માણ નામ, ઉપઘાતનામ, ત્રસનામ, બાદરનામ, પર્યાપ્ત નામ, પ્રત્યેકનામ, સ્થિરનામ, શુભનામ, સુભગનામ, સુસ્વરનામ, આયનામ, યશકીર્તિનામ, સ્થાવરનામ, સૂફમનામ, અપર્યાતનામ, સાધારણનામ, અસ્થિરનામ, અશુભનામ, દુર્ભગનામ, દુશ્વરનામ, અનાદેયનામ અને અપયશકીર્તિનામ.
હવે તે દરેકનાં લક્ષણે સમજાવવામાં આવે છે. જે કર્મના ઉદયમાં અમુક ભવથી અમુક ભવમાં જવા માટે ગમન થાય, તે ગતિનામકર્મ સમજવું. તેના ચાર ભેદ છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ. અથવા સુખ-દુખના ઉપગ કરવા સારૂ નિયમિત થનારે જે પરિણામવિશેષ; તે ગતિનામકર્મ સમજવું.
અત્યન્ત શેઠી ચેતન્યશકિતના આવિર્ભાવનું જે નિમિત્ત હોય, તે એકેન્દ્રિયજાતિનામ, એવી રીતે આગળ આગળ વધારે વધારે ચૈતન્યશકિતને આવિર્ભાવની જેમ જેમ સામગ્રી મળતી જાય તેમ તેમ દ્વિન્દ્રિયજાતિ, ત્રીન્દ્રિય જાતિ,ચતુરિન્દ્રિય
28
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org