________________
તવાખ્યાન,
-
~
શકિત, વાચિક શકિત, માનસિક શક્તિ, શ્વાસે શ્વાસ અને આયુષ્ય આ દશની જૈનદર્શનમાં પ્રાણ સંજ્ઞા છે. અથવા ઈરાદાપૂર્વક શ્રેષબુદ્ધિથી પ્રાણુઓના પ્રાણને જે વિનાશ કરે, તેનું નામ હિંસા સમજવી.
પ્રમત્ત અવસ્થાને લઈને સાચી વસ્તુને જાણવા છતાં પણ નિષેધ કરે અને ખોટી વાતનું પ્રતિપાદન કરવું, તેનું નામ મૃષાવાદ સમજવું. ભાવાર્થ-જીવ છે જ નહિ, પરલોક નથી, સ્વર્ગ નથી, નરક નથી વિગેરે જે બોલવું, તે સાચી વસ્તુને નિષેધ કર્યો ગણાય.એક ખાના દાણા જેટલે આત્મા છે,અંગુઠાના પર્વ એટલે છે, અથવા વ્યાપક છે એ વિગેરે પ્રતિપાદન કરવું, તે અસત્યનું પ્રતિપાદન કહેવાય. તથા જે વચન બોલવામાં બીજાના પ્રાણેને નાશ થતો હોય, તેવું વાકય દ્રવ્યથી સત્ય છે, તે પણ ભાવથી અહિંસાનું ઉચછેદક હોવાથી તે પણ અસત્ય જ સમજવું અર્થાત્ જે વચનથી બીજાને આઘાત પહશે, તેવું જે બોલવું તે પણ અસત્ય જ સમજવું.
બીજાના ધનને આક્રમણ કરી, અથવા ચોરી કરી તથા શાસ્ત્રમાં નિષિદ્ધ આચરણ કરી જે ગ્રહણ કરવું, તે ચેરી સમજવી. આ ચેરી પણ બીજાના પ્રાણને નાશ કરવામાં કારણરૂપ હોવાથી અથવા બીજાના મનને આઘાત પહોંચાડવામાં કારણરૂપ હોવાથી તે પણ વસ્તુગતે વિચાર કરતાં હિંસારૂપ છે, માટે તેનું આચરણ ઘણું જ ખરાબ છે, તે પણ દુર્ગતિનું સાધન છે. માલિકની આજ્ઞા સિવાય તૃણું, ઘાસ જેવી હલકી ચીજને ગ્રહણ કરવી તે પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org