________________
૩૩૨
તવાખ્યાન
તેને ભવિતવ્યતારૂપ કારણ ન હોય, તે ચૂલા ઉપરથી ઉતારતી વખતે જ તપેલી ઉંધી વળી ચૂલામાં પડી જાત. જ્યારે એમ થયું નથી, ત્યારે સમજવું જોઈએ કે સંપૂર્ણ કાર્યને બરાબર પાર ઉતારવામાં નિયતિ પણ જરૂર કારણરૂપ છે, માટે આટલા કામ માટે નિયતિની પણ જરૂર મદદ લેવી જોઈએ. - હવે આપ જ વિચારે કે આ પાંચ કારણની સત્તા માન્યા સિવાય કઈ પણ કાર્યની ઉત્પત્તિ થાય ખરી કે? એકલા કાલ વિગેરેથી કઈ પણ કાર્ય થાય ખરૂં? અર્થાત નહિ. અએવ દરેક આપસમાં હળી મળીને કાર્યો કરે છે, તે વાત સારી રીતે સમજવી. તેમાં પણ જે લગાર ઉડે વિચાર કરી તત્ત્વની મીમાંસા કરવામાં આવે તે કર્મમાં સર્વ અન્ત
ત હોવાથી તેવા તેવા રૂપથી કર્મની સત્તા માનવામાં પણ કઈ જાતના કાર્યમાં અડચણ આવે તેમ નથી. તે પણ લગાર વિચારકટષ્ટિથી સમજાવવામાં આવે છે –
તેમાં સ્વભાવ અને નિયતિ તે કર્મના વિશેષ પરિણામ રૂપ છે. જેમકે જ્ઞાનાવરણને જ્ઞાનને આચ્છાદન કરવાને સ્વભાવ છે, દર્શનાવરણને દર્શનને રોકવાને સ્વભાવ છે, વેદનીયને આત્મીય સ્વાભાવિક સુખને તિરભાવ કરવાને સ્વભાવ છે, મોહનીયને સ્થિરતારૂપ ઉચ્ચ કેટિના ચારિત્રને રેકવાને સ્વભાવ છે, આયુષ્યને મનુષ્યનું આયુષ્ય વિગેરે ભોગવવાનો સ્વભાવ છે, નામકર્મને શરીર, ઈન્દ્ર, અંગે પાંગ, ગતિ, જાતિ વિગેરેને પ્રાપ્ત કરાવવાને સ્વભાવ છે, ગાત્રને ઉચ્ચ નીચ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org