________________
૩૩૦
તવાખ્યાન,
---
-
-
-
-
-
નહિ, ભાગ્ય સુન્દર હોવા છતાં પણ જે ઉદ્યમ વિગેરે કારણસામગ્રી પાસે ન હોય, તે કંઈ પણ તેવું કાર્ય કરી શકવાના જ નહિ. જે કેવલ કર્મથી કાર્યની ઉત્પત્તિ માનવામાં આવે, તે જગતમાં જેટલા પ્રયને જોવામાં આવે છે, તે તમામ નિષ્ફળ થઈ જવાના, ખાલી ઘરમાં જ ચૂપ ચાપ બેસી રહેવું જોઈએ, કોઈ પણ કાર્ય માટે કંઈ ણ ઉદ્યમ કરવું જોઈએ નહિ. માટે કેવલ કમ પણ નકામું છે.
જ્યારે કેવલ એક એકને કારણે માનવાથી આપસમાં અનેક પ્રકારને ઝઘડે પેદા થયે ત્યારે તેનો નિર્ણય કરવા માટે સ્યાદ્વાદ મહાનરેન્દ્રની પાસે આવી પિતપતાના અભિપ્રાયે તે દરેકે સમજાવ્યા તેને ધ્યાનમાં લઈ, “કેઈએ આપસમાં ઝઘડે કર નહિ, કેમકે દરેકના અભિપ્રાય કઈ કઈ અપેક્ષાએ સત્ય છે, તે આપસમાં ઝઘડે કરવાની શી જરૂર છે? માટે આપસમાં તમામ મળી જાઓ. એક બીજાના કાર્યોમાં એક બીજાએ સહાયતા કરવી, તેથી તમામ કાર્યોની સિદ્ધિ થવાની.” આ પ્રમાણે શાન્તિ પૂર્વક દરેકને જેવી રીતે સમજાવ્યા, તે પ્રકાર પણ બતાવવામાં આવે છે –
કાલ, સ્વભાવ, નિયતિ, પુરુષાર્થ અને કર્મ આ પાંચને સમુદાય મળી જે કાર્ય કરી શકે તેમ છે, તે કાર્ય પ્રત્યેકથી કદાપિ થવાનું નહિ તે વાત દષ્ટાન્ત દ્વારા સિદ્ધ કરવામાં આવે છે. જેમ મગ પકાવવા માટે અગ્નિને સંગ કરી તપેલીમાં આંધણ મુકી મગ નાખવા વિગેરે કાર્ય પુરુષાર્થનું છે. આટલા કામ માટે જરૂર પુરુષાર્થની મદદ લેવી જ જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org