________________
૩૨૬
તવાખ્યાન,
ઉ૦ વસ્તુના પરિપાકમાં જે નિયતિને કારણ તરીકે માનવામાં આવે તે નિયતિમાં એક સરખાપણું હોવાથી એક ઠેકાણે વસ્તુને પરિપાક થવાથી તમામ ઠેકાણે વસ્તુને પરિપાક થ જોઈએ. નિયતિને અર્થ તે અવશ્યભાવભાવરૂપ છે. અર્થાત “જે થનારૂં હશે, તે થશે... આવી રીતે અનાગત કાલને અવલંબન કરનાર છે, અને પરિપાક શબ્દ તે સિદ્ધ વરતુને કહી બતાવે છે, ત્યારે આપ જ બતાવે કે, નિયતિ કહેવી અને તેને પરિપાક પણ સાથે માન, આ બે વાતે માતા વંધ્યાની માફક કેવી રીતે ઘટવાની? તેને વિચાર કરશે. માટે કઈ પણ રીતે નિયતિને કારણ માનવાથી કાર્યની વિચિત્રપણાની ઉપપત્તિ થઈ શકવાની જ નહિ, એકાતથી નિયતિવાદ માનવામાં શાસ્ત્રને ઉપદેશ પણ નકામો થઈ જવાને. કારણકે ઉપદેશ વિના પણ જે અવશ્ય ભાવિભાવ છે (થનાર જ છે), તે તે થયા જ કરશે; તે પછી ગુરુએ શિષ્યને, પિતાએ પુત્રને, રાજાએ પ્રજાને, ઈશ્વરે પોતાના ભકતેને ઉપદેશ દેવાની શી જરૂર છે? તથા યમ, નિયમ, આસન, પ્રાણચામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન. સમાધિ, વૈરાગ્યનુષ્ઠાન વિગેરે તમામ નિષ્ફળ થઈ જવાના. જ્યારે થવાનું હશે, ત્યારે થશે જ, થયા જ કરે છે એ નિયમ છે, ત્યારે ઘણા ભારે કષ્ટાનુષ્ઠાન કરવાની શી જરૂર છે? તથા ભેજન વિગેરે માટે પણ ઉદ્ય મ કરવાની શી જરૂર છે? આ તમામ વિપત્તિથી બચવાની ઇચ્છાવાળાએ નિયતિવાદને બીલકુલ ન માનવો જોઈએ.
પ્ર. નિયતિવાદમાં અનેક દેશે આવતા હોવાથી તેને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org