________________
જૈનદર્શન.
૩૨૫
••••~~~~~~~
~
~~~~
~~~~
ઉ૦ અવશ્યભાવભાવરૂપ નિયતિ તે જ્યારે એક સરખી જ છે, ત્યારે વિચિત્ર પ્રકારનું કાર્ય થવામાં બીજું કયું કારણ હોઈ શકે? જેમ આકાશમાંથી એક સરખું જલ પડવા છતાં પણ ઉષર ભૂમિ, દુર્ગધિ ભૂમિ, કડવી ભૂમિ વિગેરેમાં પડવાથી જમીનના ભેદને લઈને જલમાં પણ ખારાપણું, દુગ પિણું, કડવાપણું, મધુરપણું વિગેરે ભેદે જોવામાં આવે છે, એ વાત સકલ જન પ્રસિદ્ધ છે. તેમાં એક સ્વરૂપવાળી નિયતિની સાથે પણ જ્યાં સુધી કાર્ય માં વિચિત્રપણું પિદા કરનારી કે ઈ જૂરી વ્યકિતને માનવામાં ન આવે, ત્યાં સુધી તેમાં વિચિત્રપ કદાપિ આવી શકવાનું જ નહિ.
પ્ર. નિયતિ સહિત રવભાવને લઈને કાર્યોમાં વિચિત્ર પણની ઉપપત્તિ જ્યારે થઈ શકે છે, ત્યારે કર્મ માનવાની શી જરૂર છે?
ઉ૦ આપે તે ઘણું સારું કહી બતાવ્યું, જ્યારે નિયતિ સહિત સ્વભાવથી કાર્યમાં વિચિત્રપણું આવે છે, ત્યારે નપુંસક જેવી આપની નિયતિને માનવાની જ શી જરૂર છે? સાફ સાફ કહે કે, કેવલ વિચિત્ર સ્વભાવથી કાર્યમાં વિચિત્રપણું આવે છે.
પ્ર. નિયતિ સહિત વત્સ્વભાવ કહેતાં નિયતિને પરિ પાક સમજ, અને તે પણ નિયતિથી કંઈ જૂદ નથી, માટે જે કાર્ય થાય છે, તે નિયતિથી જ થાય છે, એ વાત જે અમોએ પ્રથમ જણાવી હતી, તેમાં કોઈ પણ દોષને જ્યારે અવકાશ જ નથી, ત્યારે શા માટે બેટે આક્ષેપ કરે જોઈએ? .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org