________________
૩૨
તત્વાધ્યાન,
તે હોય, તે પણ આપણી ભવિતવ્યતા ન હોય તે ઈષ્ટને સમાગમ કદાપિ થઈ શકે જ નહિ, અને અનિષ્ટને નાશ પણ થઈ શકે જ નહિ, માટે દરેક કાર્યમાં ભવિતવ્યતા જ પ્રબલ કારણ છે, અને તે જ માનવા લાયક છે.
પુરુષાર્થવાદિને અભિપ્રાય. જગતમાં કંઈ પણ કાર્ય પુરુષાર્થ સિવાય કદાપિ થઈ શકવાનું જ નહિ. અમુક વસ્તુમાં અમુક ફલ પાકવાનાં છે, મગમાં ચડવાને સ્વભાવ છે, તલમાં તેલને, શેલીમાં રસને, દહીંમાં ઘીને સ્વભાવ છે. અને તે તમામ ચીજો તમને નિયતિબળથી મળનારી હોય; પરતુ જ્યાં સુધી તેના માટે ઉદ્યમ કરવામાં ન આવે, ત્યાં સુધી તે ચીજો તમેને કદાપિ મળવાની નહિ. માટે કાલ, સ્વભાવ, નિયતિ વિગેરે તે નપુંસકસમાન છે. પરાધીન છે, પરંતુ ઉદ્યમ એક જ સમર્થ પુરુષાર્થ છે. સ્વતંત્ર પણ તે જ છે. માટે તેને જ દરેક કાર્યમાં કારણ તરીકે માન જોઈએ. લેકે પણ તે જ કહે છે-ઇન હિ વાઘણિ સિરિત જ મનો કા ભજનની તમામ સામગ્રી સામે પડી હોય, પરંતુ જ્યાં સુધી ખાવાને માટે ઉદ્યમ કરવામાં આવે નહિ, ત્યાં સુધી ક્ષુધાની શાન્તિ કદાપિ થવાની નહિ.
પૂર્વે જે જે મહાપુરુષે તીર્થકર, ગણધર, ચરમશરીરી વિગેરે થઈ ગયા, તે તમામની શુદ્ધ સ્વરૂપવાળી આત્મસત્તા વિદ્યમાન હતી, તે પણ તેમણે લાગેલા કર્મભલેને દૂર કરવા માટે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ભાવગની સેવનામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org