________________
જેનદર્શન.
૩૨૧
શસ્ત્રોથી મારવા છતાં પણ જેને મરવાને નિયતિભાવ નથી, તે કદાપિ મરતું નથી અને જેને મરવાની ભવિતવ્યતા છે, તે તે સહેજ સાજ મારવાથી પણ મરી જાય છે. માટે દરેકમાં નિયતિ જ મુખ્ય કારણ છે. ઘટ, પટ વિગેરે વસ્તુઓ જે કાલમાં દંડ, ચક વિંગેરે સામગ્રીથી પેદા થતી જોવામાં આવે છે, તે વસ્તુઓ તે જ કાલમાં તે જ સામગ્રી દ્વારા પેદા થાય છે, તે માટે તેને નિયતિ કહેવામાં આવે છે, આવી રીતે યુક્તિસિદ્ધ નિયતિને માનવામાં કઈ પણ જાતની અડચણ છે જ નહિ, તે જ ભાવાર્થ નીચેને બ્લેક પણ કહી બતાવે છેप्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः
सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा। भूतानां महति कृतेऽपि हि प्रयत्ने नाभाव्यं भवति न भाविनोऽस्ति नाशः ॥१॥
– રાત્રવાર્તાપુરા: ઇ. ૨૩
જે શુભાશુભ દરેક પદાર્થો નિયતિના બલથી પ્રાપ્ત કરવા લાયક છે, તે પદાર્થો મનુષ્યને અવશ્ય મળે છે, અને જે પદાર્થો મળનાર નથી, તેને માટે ગમે તેટલે પ્રયત્ન કરવામાં આવે તે પણ તે મળતા નથી અને જે પ્રાપ્ત થનાર છે, તેને નાશ પણ થતું નથી. માટે અવશ્યભાવભાવરૂપ નિયતિને જ માનવી જોઇએ, કાલ અને સ્વભાવ તે બિચારા કોઈપણ કામમાં આવતા. નથી. કાલને પરિપાક સારી રીતે થયો હય, સ્વભાવ પણ તેમાં
21
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org