________________
જૈનદર્શન
૩૧૯
પટ વિગેરે જે કંઇ કાર્ય જોવામાં આવે છે, તે તમામનું કારણું સ્વભાવ જ સમજ.
ભાવાર્થ-દરેક પદાર્થોમાં રહેલે સ્વભાવ જ દરેકની ઉત્પત્તિમાં કારણ છે. ધૂળમાં પટ બનવાને સ્વભાવ ન હોવાથી તેનાથી પટ બનતું નથી. લાકડામાં કપડું બનવાને સ્વભાવ ન હેવાથી તેથી કપડું બનતું નથી. સ્ત્રીમાં દાઢી-મૂછ આવવાને સ્વભાવ ન હોવાથી તેમાં આવતી નથી, માટે દરેકમાં સ્વભાવ જ કારણ છે. તે પદાર્થો સ્વભાવથી જ નષ્ટ થાય છે, સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે અને સ્વભાવથી જ સ્થિર રહે છે. તથા મગ, મઠ, અડદ, ચેળા વિગેરેને પાક પણ સ્વભાવ સિવાય બનતું જ નથી. કારણ કે અનેક પ્રકાથી અગ્નિને સંયોગ કરવા છતાં પણ કેયડુ મગ વિગેરે બીલકુલ પાકતા જ નથી અને બીજા જ્યારે સારી રીતે પાકે છે, ત્યારે માનવું જોઈએ કે કેયડુમાં પાકવાને સ્વભાવ જ નથી અને બીજામાં છે, માટે સર્વત્ર સ્વભાવની જ મુખ્યતા સમજવી, તેમાં ઇશ્વરવાદીના મત પ્રમાણે ઈશ્વર પણ તે કાર્ય કરવાને શક્તિમાન નથી. - કિચ જેમાં જે કાર્યને પેદા થવાને સ્વભાવ ન હોય, છતાં પણ તેમાં તે કાર્યની ઉત્પત્તિ માનવામાં આવે, તે વધ્યાથી પુત્રની ઉત્પત્તિ, આકાશથી કુલની ઉત્પત્તિ, ગભથી શીંગડાની ઉત્પત્તિ અથવા આખા જગની ઉત્પત્તિ પણ કેમ ન થઈ શકે? કારણ કે કાલવાદીના મત પ્રમાણે કાલ તે સર્વત્રતૈયાર જ છે. માટે કહે, તેમાં તે સ્વભાવ ન હોવાથી તે કાર્યની ઉત્પત્તિ કયાંથી થાય ? તેમાં નપુંસક બિચાર કાલ આવીને શું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org