________________
જૈનદર્શન.
૩૧
ઉપયુંકત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, જીવ અને પુદ્ગલ આ છ દ્રવ્ય તરીકે જાણવાં. તેમાં જીવ અને પુગલ અનેકદ્રવ્યરૂપ છે અને બાકીના એકદ્રવ્યરૂપ છે. પુદ્ગલ રૂપી છે અને બાકીના પાંચ અરૂપી છે.
તેમાં બધે તે સ્નેહગુણવાળા તથા રૂક્ષગુણવાળા પર-- માણુઓના મળવાથી થાય છે, તેમાં પણ સરખા નેહ ગુણવાળા. પરમાણુઓને તથા સરખા રૂક્ષ ગુણવાળા પરમાણુઓને આપસમાં બન્ધ થતું નથી, તથા અત્યન્ત સૂક્ષ્મ ને ગુણવાળા અને અત્યન્ત સૂકમ રૂક્ષ ગુણવાળા પરમાણુઓને પણ આપસમાં બન્ધ થતું નથી, કિન્તુ બે બે ગુણેથી અધિક સ્નિગ્ધ ગુણવાળા પરમાણુઓને બે બે ગુણેથી અધિક ચિનગ્ધ ગુણવાળા પરમાશુઓની સાથે બન્ધ થાય છે. તેવી જ રીતે બે બે ગુણેથી અધિક રૂક્ષ ગુણવાળા પરમાણુઓની સાથે બન્ધ થાય છે. આ વાત તે આપસમાં નિષ્પ ગુણવાળાઓની સાથે તથા આપસમાં રૂક્ષ ગુણવાળાઓની સાથે બન્ધના વિષયમાં સમજાવવામાં આવી; પરંતુ સ્નિગ્ધ ગુણવાળાને રૂક્ષ ગુણવાળાની સાથે બન્ધ થવામાં તે બે બે ગુણેથી અધિક જોઈએ તે નિયમ નથી. તેમાં સરખી ચીકાશવાળા પરમાણુઓને સરખી લુખાશવાળાની સાથે બન્ધ થવામાં કોઈપણ જાતની અડચણ નથી, તેમ જ સરખી સુખાશવાળાને સરખી ચીકાશવાળાની સાથે બન્ધ થવામાં પણ કોઈપણ જાતને બાધ નથી.
પરિણામ તે પિતાનામાં રહેલ નેહગુણ કેઇ વખતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org