________________
જૈનદર્શન.
૩૧૧
અને અન્ધકારમાં તે તેમ બિસ્કુલ નથી, માટે તેનું ચાક્ષુષ પ્રત્યક્ષ કેવી રીતે મનાય? આથી એ સિદ્ધ થયું કે અન્યકાર કઈ વસ્તુ નથી, કિન્તુ તેજના અભાવરૂપ છે.
- ઉ૦ ઘુવડ, બીલાડી વિગેરેને પણ આલેક વિના ચક્ષુષ પ્રત્યક્ષ થતું હોવાથી “ચાક્ષુષ પ્રત્યક્ષમાં આલેકની જરૂર અપેક્ષા રહેલી જ છે એ કંઈ એકાન્ત નિયમ નથી. અમારા જેવાને પણ ઘટ વિગેરે બીજી વસ્તુનું પ્રત્યક્ષ આલેક લિન થતું નથી, તે પણું અકારના પ્રત્યક્ષમાં તેની જરૂર બીટકુલ રહેતી નથી, કારણ કે પુદ્ગલેમાં વિચિત્રપણું હવાથી કેઈને પ્રત્યક્ષમાં આલેકની અપેક્ષા રહે અને કઈમાં ન પણ રહે. એમાં શી અડચણ છે? પીળું સેનું, સફેદ રેતી વિગેરેના પ્રત્યક્ષમાં આલેકની અપેક્ષા રહે છે, અને દીપક, સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર વિગેરેના પ્રત્યક્ષમાં બીસ્કુલ આલેકની જરૂર પડતી નથી; તેમ અન્ધકારના પ્રત્યક્ષમાં આલેકની જરૂર ન રહે તેમાં આશ્ચર્ય શાનું?
હવે છાયામાં પણ પુદગલદ્રવ્યપણું સમજાવવામાં આવે છે. છાયામાં જલ તથા વાયુની માફક વૃદ્ધિ થવાપણું તથા ઠંડાપણું હોવાથી છાયા પણ પુદ્ગલના પરિણામરૂપ છે. આ દૃષ્ટાન્ત અન્ધકારને પણ લાગુ પડે છે, એ પણ ખાસ ભૂલવા જેવું નથી. તથા સાકારપણું હેવાથી છાયારૂપથી પરિણુત થયેલ પ્રતિબિંબ પણ પુદગલના પરિણામરૂપ સમજવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org