________________
૩૧૦
તસ્વાખ્યાન,
મૂdદ્રવ્યના વિકારરૂપ પુદ્ગલ-પરિણામ હેય, તે ઉત કહેવાય.
આવી રીતે દશ પ્રકારના પગલે માંથી અન્યકાર અને છાયાના વિષયમાં બીજા કે તેને દ્રવ્યરૂપે ન માનતા હેવાથી કંઈક વિશેષ વિવેચન કરી તેમાં દ્રવ્યપણાની સિદ્ધિ કરવામાં આવે છે – - જેમ પુદ્ગલના પરિણામરૂપ ભીંત આડી આવતી હોવાથી અન્દરની ચીજે જોવામાં આવતી નથી, તેમ દષ્ટિદ્વારા વરતુને અવલેકવામાં પ્રતિબન્ધકરૂપ અન્ધારામાં પણ રહેલી ચીજો જેવામાં આવતી ન હોવાથી પ્રતિબન્ધકરૂપ અન્ધકારને પણ પુદગલ-પરિણામરૂપ જરૂર માન.
જેમ આંખ આડા પાટા બાંધવાથી આચ્છાદક સ્વરૂપ પાટાને લઈને વસ્તુ લેવામાં આવતી નથી. “તે પાટા પુદ્ગલના પરિણામરૂપ નથી” એમ તે કેઈથી પણ કહેવાય તેમ નથી; તેમ અન્ધકાર પણ વસ્તુવિલેકનમાં પાટાની માફક પ્રતિબન્ધક હોવાથી તેને પણ પુદ્ગદ્રવ્યના પરિણામરૂપ જરૂર માન જોઈએ.
અન્ધકારમાં પુદ્ગલ દ્રવ્યના પરિણામપણું નથી” એમ તે બીલકુલ ન માનવું, કેમકે પ્રદીપના પ્રકાશની માફક એમાં પણ ચાક્ષુષ પ્રત્યક્ષપણું હોવાથી તે પણ પુગલના પરિણામ રૂપ છે.
પ્ર. જેનું ચક્ષુષ પ્રત્યક્ષ થાય છે, તે તમામ વસ્તુને પિતાના પ્રત્યક્ષમાં આલેકની અપેક્ષા જરૂર જોવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org