SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ તરવાખ્યાન. - - - - - - - - - - - - - રેકને એક કાલમાં સરખી રીતે હોતી નથી અને કાલની અપેક્ષાએ જે તે થતી હોય તે દરેકને એક કાલમાં સરખી જ હોવી જોઈએ, એકને અપાન વાયુ થાય તે તમામને તે વખતે અપાન વાયુ કે જોઇએ, એકના શ્વાસોચ્છવાસ લેવામાં તમામને તેમ થવું જોઈએ, એકને આયુષ્ય કમની વૃત્તિ બન્ય થવાથી અથતું મરવાથી દરેકનું મરણ થવું જોઈએ, એમ તે આપ પણ માની શકશે નહિ. અને તેમ થતું પણ નથી. માટે તે કાલની અપેક્ષાએ થાય છે એમ કેવી રીતે માની શકાય? આથી એ સિદ્ધ થયું કે વર્તન, પરિણામ, ક્રિયા, પરત્વ, અપરત્વ વિગેરે પર્યા. કાલજન્ય છે, એમ બીસ્કુલ માનવું નહિ; કિન્તુ જીવાજીવ દ્રવ્યેના તે પયયવિશેષે છે. તેમાં વિશેષતા એટલી જ છે કે મનુષ્યક્ષેત્રમાં સૂર્ય, નક્ષત્ર વિગેરેની કિયાતારા તે પર્યાયે પ્રકાશિત થઈને વ્યવહારપથમાં આવતા હોવાથી વ્યવહારિક કે તેને ઉપચારથી કાલે કરેલા છે, તેમ માને છે. અને મનુષ્યલેકની બહાર વ્યવહારજ્ઞ લે નહિ હોવાથી, તથા ઉપર્યુક્ત વૃત્તિમાં કાલની જરૂર પણ નહિ હોવાથી ત્યાં તે ઔપચારિકપણે પણ કાલ માનવામાં આવતું નથી, આટલી વિશેષતા પ્રસંગથી સમજાવવામાં આવી. હવે ચાલતા વિષય પર આવીએ–પરત્વ, અપરત્વ વિગેરે પયા ચિરકાલીન અને અચિરકાલીન સ્થિતિની અપેક્ષા રાખનાર છે અને સ્થિતિમાં અસ્તિત્વની અપેક્ષા છે, અને અસ્તિત્વ તે વસ્તુમાં સવભાવ સિદ્ધ છેતે પછી તેને માટે પણ કાલા દ્રવ્યને માનવાની બીલકુલ જરૂર નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy