________________
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
૨૮૪
તવાખ્યાન,
--------------- આકાશ જેમ વ્યાપક હોવાથી તેમાં કર્તાપણું માનવામાં આવતું નથી, તેમ આત્મામાં પણ ન માનવું જોઈએ. તેમ જ આકાશની માફક તેમાં અમૂર્ત પણું હોવાથી તાપણું પણ ન માનવું જોઈએ. તથા સંસારી પણ નથી, દુઃખી પણ નથી, સુખી પણ નથી તેમ માનવું પડે, માટે આત્માને સર્વગત ન માનતાં શરીરવ્યાપી માને તે જ ઉચિત છે.
પૂર મનમાં કરણપણું હોવાથી પ્રદીપ, મણિ, સૂર્યપ્રભા વિગેરેની માફક બહાર નીકળી વિષયદેશમાં જઈને વસ્તુને ગ્રહણ કરે છે, ત્યારે વસ્તુનું જ્ઞાન થાય છે, માટે દ્રવ્યમાન પ્રાપ્તકારિ છે. - ઉ૦ પદાર્થને નિર્ણય કરવામાં દ્રવ્યમન કરણ છે. એ વાત અમે સારી રીતે માનીએ છીએ, પરંતુ કરણના બે ભેદ છે, એક અંતઃકરણ અને બીજું બાહ્યકરણ. તેમાં આત્માને વસ્તુનું જ્ઞાન કરવામાં દ્રવ્યમન અતઃકરણ છે. અને પ્રદીપ વિગેરે બાહ્ય કરણે સમજવા, તેમાં સ્પર્શનેન્દ્રિયની માફક અન્તઃકરણપણું હેવાથી શરીરમાં રહેલું જે દ્રવ્યમન તેના આલંબનથી ભાવમન પણ શરીરમાં રહીને જ વસ્તુને નિર્ણય કરાવે છે. અનુમાન પણ તે જ વાતને પુષ્ટિ આપે છે.
દ્રવ્યમનરૂપી અન્તકરણ સ્પર્શની માફક શરીરથી બહાર જતું નથી. તે પછી વિષય–દેશમાં જઈ વસ્તુને ગ્રહણ કરે તેની તે વાત જ શી કરવી ? માટે મન અપ્રાપ્યકારિ છે. એમ જરૂર માનવું. એ વાતનું વિશેષ વિવેચન વિશેષાવશ્યક, રત્નાકરાવતારિકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય વિગેરે ઘણું ગ્રન્થમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org