SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ તજ્યાખ્યાન, ચંદન વિગેરેના ચિંતનમાં શૈત્ય વિગેરેને અનુભવરૂપ અનુગ્રહ તથા અગ્નિ, વિષ, શા વિગેરેના ચિંતનમાં ઉપઘાત વિગેરે જરૂર થવું જોઈએ અને થતું તે નથી, માટે મન પણ જરૂર અપ્રાકારિ છે. કિંચ મન વિષય-દેશમાં જઈને વસ્તુને ગ્રહણ કરે છે, તે વિષે પ્રશ્નને અવકાશ મળતું હોવાથી પુછવામાં આવે છે કે મનના બે ભેદ છે એક દ્રવ્યમન અને બીજું ભાવમન, તે બેમાંથી કયું મન બહાર જાય છે તેમાં ભાવમન બહાર જાય છે, એવું જે માનવામાં આવે તે વિચારશક્તિ-વિજ્ઞાનરૂપ ભાવમન તે ઉપગરૂપ હોવાથી જીવથી ન્યારૂં છે જ નહિ. તથા ભાવમન રૂપી જીવ તે શરીર માત્રમાં વ્યાપી હેવાથી શરીરથી બહાર જઈ શકતું જ નથી. એમ છતાં પણ શરીરથી બહાર જાય છે એમ માનવામાં આવે તે આત્માને સર્વગત માનવામાં અને તેનાથી અભિન્ન એવા મનને પણ સર્વગત માનવામાં તમારા મતમાં પ્રાપ્યકારિપણાને લીધે તમામ પદાર્થનું જ્ઞાન એક કાલમાં થવાથી જગતના તમામ જીવે સર્વજ્ઞ થવા જોઈએ. કિંચ આત્માને સર્વગત માનવામાં અંગુઠે દાઝવાથી તેની વેદના જેમ મસ્તક વિગેરેમાં થાય છે તેમ સર્વત્ર સર્વને થવી જોઈએ. તથા જૂદા જૂદા દેશમાં રહેલ ચન્દન, માલાઓ, અંગના વિગેરેને સંબધ થવાથી નિરન્તર વિષયના ઉપભેગની પ્રાપ્તિ થવાથી સુખ પેદા થવાનું અને અગ્નિ, શ, જળ વિગેરેને સંબન્ધ પણ થતું હોવાથી દાઝવાનું, ચીરાવાનું, ડુબવાનું વિગેરે અનેક જાતિનાં દુખે પણ નિરન્તર ભેગવવા પડશે. માટે શરીર હોય તેટલા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy