________________
२७६
તત્ત્વાખ્યાન.
- -
-
વિચારશક્તિના કર્તા તરીકે આપ પુરુષને માને છે? અથવા પ્રકૃતિને માને છે ? આ બે પ્રકને પુછવામાં આવે છે.
તેમાં પ્રથમ પક્ષ માનવામાં તે આપના મત પ્રમાણે જ્યારે પુરુષમાં જ નિણપણું છે અને ગુણ-દેષ વિચારણ તે સાત્વિક રૂપ છે. અને તેવી સાત્વિકતા તે આપના મત પ્રમાણે પુરુષમાં આકાશપુષ્ય સમાન છે. ત્યારે તેવી વિચારશકિતના કર્તા તરીકે પુરૂષને મનાય જ કેવી રીતે? અને આપ માનતા પણ નથી માટે પ્રથમપક્ષ અનાદરણીય હોવાથી પુરુષમાં કર્તાપણું અસંભવિત છે.
- હવે રહા બીજે પક્ષ પ્રકૃતિ સંબન્ધિ. તેમાં અચેતનપણું હવાથી “અચેતન પદાર્થ ગુણદોષની વિચારણારૂપ વિજ્ઞાનને કર્તા છે. એવું તે કઈ પણ રીતે કહી શકાય તેમ છે જ નહિ. એમ હોવા છતાં પણ જે માનવામાં આવે તે બિચારા ઘડાએ શે અપરાધ કર્યો? અને એવી શી રાજાજ્ઞા છે? કે અચેતનપણું સરખું હોવા છતાં પણ મનને વિચારણા, સ્મૃતિ વિશેરેમાં કર્તા તરીકે માનવું અને ઘડાને નહિ.
કિંચ સત્ત્વ, રજ અને તમે ગુણની સામ્યવસ્થારૂપ પ્રકૃતિથી મહ-અહંકાર વિગેરે જે પરિણામોને આવિર્ભાવ થાય છે, તે પરિણામે પ્રકૃતિથી જૂદા છે કે તે રૂપ છે? આ બે પ્રશ્નને પણ તેમાં જરૂર અવકાશ રહે છે. તેમાં પ્રથમ પક્ષ માનવામાં આપના મત પ્રમાણે કાર્ય-કારણમાં સર્વથા એકયપણું હેવાથી જ્યારે કાર્ય જૂદું સિદ્ધ થયું, ત્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org