________________
જૈનદર્શન.
૨૭૩
ઉ. આ કથન પણ ઠીક નથી. કારણ કે તેમ માનવાથી તે મનમાં પણ વિભાગ સિદ્ધ થતું હોવાથી અશુપણું તે આકાશમાં ઉડી જવાનું; માટે મનની સાથે આત્મા તથા ઈન્દ્રિએને કેઈપણ રીતે સંબન્ધ સિદ્ધ થવાને જ નહિ. કિંચ ગુણગુણીમાં સર્વથા ભિન્નતા તથા નિત્યપણું હેવાથી મનની અન્દર સંગ-વિભાગરૂપ પરિણામ જ જ્યારે નથી; ત્યારે આત્મા તથા ઇન્દ્રિોની સાથે મનને સંબધ તે થાય જ કયાંથી? તેને પણ સાથે વિચાર કરશે. એમ હોવા છતાં પણ મનમાં જે સંગ-વિભાગરૂપ પરિણામ માનવામાં આવે તે આપનું મનમાં માનેલું નિત્યપણું હવામાં ઉડી જવાનું. તથા મનમાં પણ અચેતનપણું હોવાથી મનને અમુક ઇન્દ્રિયોની સાથે જોડાવું, બીજાની સાથે નહિ એવું જ્ઞાનવિશેષ પણ ન હોવાથી આત્મા અને ઈન્દ્રિયની સાથે નિયમિત સંબન્ધ જ થવાને નહિ. માટે મન આશુરૂપ છે, તથા સર્વથા નિત્ય છે, એ વાત બીલકુલ માનવા લાયક નથી, કિન્તુ મનને પૂર્વોક્ત સ્વરૂપવાળું માનવું તે જ સર્વોત્તમ છે.
પૂ. જલદી ચાલતું હોવાથી મન અણુસ્વરૂપ છે, તે પણ સંપૂર્ણના ગ્રહણમાં નિમિત્ત થાય છે, માટે કંઈ પણ દેષ છે જ નહિ.
ઉ. અચેતન એવા મનને બુદ્ધિપૂર્વક વ્યાપાર થવાનો જ નહિ. તથા અમુકની સાથે જોડાવું, અમુકની સાથે નહિ, એમ પણ કદાપિ બનવાનું નહિ.
16
Jain Educationa International
વી
For Personal and Private Use Only
www.jainelibrary.org