SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ તત્ત્વાખ્યાન. રૂપથી તેની સાથે જોડાયેલા કડા છે. તથા આપતા તેને વ્યાપક માના છે એતાવતા આત્મામાં વિભુપણું હોવાથી મનમાં પણ વ્યાપકપણું આવવાનું; કારણ કે જ્યારે આત્માની સાથે સંપૂર્ણ રૂપથી તે સંબદ્ધ છે, ત્યારે તેમાં જ્યાં સુધી વ્યાપકપણુ ન હોય ત્યાં સુધી તેની સાથે સપૂર્ણ રૂપથી સબન્ધ થાય છે એમ મનાય જ કેવી રીતે ? અને આપ તા મનને પરમાણુરૂપ માને છે, માટે તેમ કેવી રીતે માની શકાય ? તેના વિચાર કરશે. હવે રહ્યો બીજો પક્ષ, તેમાં પણ એક દેશથી આત્મા મનની સાથે જોડાય છે. એવી રીતે માનવામાં પણ આત્મામાં સપ્રદેશપણુ આવતુ’ હાવાથી આપને તેમાં ઘણી વિપત્તિઓ ભાગવવી પડે તેમ છે; કારણ કે જે પ્રદેશમાં મન સહિત ઇન્દ્રિયેાના સબન્ધ યે, તેમાં જ જ્ઞાન, સુખ, દુઃખ વિગેરે પેદા થવાથી ખીજા પ્રદેશેા તેા જ્ઞાન, સુખ આદિથી રહિત થવાના. અને તેમ થવાથી તે પ્રદેશે જ્યારે જ્ઞાનાદિથી રહિત થાય, ત્યારે તેમાં આત્માનુ લક્ષણ ન ઘટવાથી તેટલા ભાગમાં તે આત્માના જ અભાવ થવાના, અને જ્યારે આત્મા નથી, ત્યારે વ્યાપકપણુ હાય જ કયાંથી ? કિચ ઇન્દ્રિયેાની સાથે પણ મનના જો સપૂર્ણ રૂપથી સબન્ધ માનવામાં આવે, તે મનમાં અણુપણું હાવાથી ઇન્દ્રિયમાં પણુ અણુપરિમાણુપણું આવવાનું; માટે તે પણ આપનાથી મનાય તેમ નથી. પૂ॰ એક દેશથી ઇન્દ્રિયા મનની સાથે જોડાતી હાવાથી ઉપર્યુક્ત દોષને બિલકુલ અવકાશ નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy