SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન. ૨૬૪ ઉ. અત્ર ઈન્દ્રિયોને અધિકાર હોવાથી જેને ઈન્દ્રિયે દ્વારા હિતાહિતની પ્રાપ્તિ સંપૂણ થાય છે, તેવા અતીન્દ્રિય જ્ઞાનથી રહિત છદ્મસ્થ જીની અપેક્ષાએ તમામ ઈન્દ્રિયે કરતાં શ્રોત્ર ઘણું ઉપકારક છે. તે જણાવવાની ખાતર શ્રોત્રને અન્તિમ સ્થાન આપવામાં આવેલ છે. મને-નિરૂપણ. મનના બે ભેદ છે. એક દ્રવ્યમન અને બીજું ભાવમન. તે બનેનું લક્ષણ દ્વારા સ્વરૂપ સમજાવવામાં આવે છે. મનઃપર્યાપ્તિ નામકર્મની ઉદયાવસ્થામાં જીવે ગ્રહણ કરેલ છે મનન કરવા લાયક પુદ્ગલવર્ગણ દ્રવ્ય, તેઓને મને રૂપે પરિણાવવાની જે શક્તિવિશેષ, તેને દ્રવ્યમન કહેવામાં આવે છે. અને મને રૂપે પરિણત થએલ જે મને વર્ગમુદ્ર, તેને અનુસાર પદાર્થવિષયક વિચાર કરવાને જે આત્માને વ્યાપાર, તેને ભાવમન કહેવામાં આવે છે. સારાંશ-જ્ઞાનાવરણ, વર્યાન્તરાય વિગેરેના ક્ષપશમથી પેદા થએલે આત્માને પદાર્થવિષયક મનન કરવાને જે વ્યાપાર, તેનું નામ ભાવમન સમજવું. તથા જ્ઞાનાવરણ અને વીર્યાન્તરાયના ક્ષપશમની પ્રાપ્તિમાં જે નિમિત્ત છે. અને ગુણદોષની વિચારણા, સ્મરણ, પ્રણિધાન વિગેરે કાર્યો કરવા માટે આત્માને જે વ્યાપાર થાય છે, તેમાં અનુગ્રાહક એવાં મને રૂપથી પરિણત થએલાં જે પુદગલ, તેનું નામ દ્રવ્યમન સમજવું. તે બેમાં દ્રવ્યમન તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy