________________
જૈનદર્શન.
૨૬૭
તથા સ્વાતંત્ર્યની પણ વિવક્ષા થઈ શકતી હેવાથી કત્તમાં પણ બહુલના અધિકારને લઈને પ્રત્યય આવી શકે છે, તે પણ સમજાવવામાં આવે છે.
- જે વડે આત્મા સ્પર્શવિષયક જ્ઞાન સંપાદન કરે, તે સ્પર્શન, જે વડે રસવિષયક જ્ઞાન મેળવે તે રસન. એવી રીતે સર્વત્ર જાણવું. અને જ્યારે સ્વતંત્રપણાની વિવક્ષા કરવામાં આવે, ત્યારે કર્ણોમાં પ્રત્યય સમજ. જેમ મારી આંખ પિતે સારી રીતે જોઈ શકે છે. પ્રાણ સુધી શકે છે, કાન સાંભળે છે, આવી રીતે વિવક્ષાના વશથી ગમે તેમાં પ્રત્યય કરે, તેમાં કંઈ પણ અડચણ નથી. પરંતુ ઉદ્દેશ સચવાય તેવી રીતે કાર્ય કરવામાં બરાબર ખ્યાલ રાખવો.
આખા શરીરમાં વ્યાપિને રહેલી હોવાથી તમામ ઈન્દ્રિયેની અન્દર સ્પર્શન ઇન્દ્રિયને પ્રથમ સ્થાન આપવામાં આવેલ છે. તમામ સંસારિ જીને તે તે જરૂર હોય છે. ત્યારબાદ અનુકમ જણાવવાની ખાતર રસના ઈન્દ્રિય વિગેરેને બતાવવામાં આવી છે. કારણકે એકેન્દ્રિય જીને કેવળ સ્પર્શનેન્દ્રિય જ હોય છે. દ્રિય જીને સ્પર્શન અને રસના (જીભ) એ બે ઈન્દ્રિય હોય છે. તથા ત્રીન્દ્રિય છાને સ્પર્શન-રસન-પ્રાણ આ ત્રણ ઈન્દ્રિય હોય છે. તથા ચતુરિન્દ્રિય જીને સ્પર્શન, રસન, વ્રણ અને ચક્ષુ આ ચાર ઈન્દ્રિયો હોય છે. અને બહુ ઉપકારી પણું હોવાથી શ્રેત્રને અન્તિમ સ્થાન આપવામાં આવેલ છે. કેમકે છે.ત્રના બલને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org