SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન. - - - - - - યના બે ભેદ છે. નિતીન્દ્રિય અને ઉપકરણેન્દ્રિય. તે બન્નેને લક્ષણ દ્વારા સમજાવવામાં આવે છે. નિર્માણ અને અંગોપાંગ નામકર્મ જેમાં નિમિત્ત છે, તથા કર્મ વિશેષથી સંસ્કારને પામેલ જે કાન વિગેરેના આકારરૂપ શરીરના પ્રદેશે, તેને નિવૃતીન્દ્રિય કહેવામાં આવે છે. તેના પણ બે ભેદ છે. એક બાહ્યા અને બીજી આભ્યન્તર. આ ઠેકાણે નિવૃત્તિપદથી વિશેષ રચના સમજવી. ત્રણ પ્રકારના અંગુલમાંથી ઉત્સધ મંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા પ્રમાણવાળા જે વિશુદ્ધ ગાત્માના પ્રદેશે, તેઓનું જે નિયમિત ચક્ષુ વિગેરે ઇન્દ્રિયેના સ્થાનમાં અવસ્થિત વર્તન, તેને આભ્યન્તર નિવૃત્તિ કહેવામાં આવે છે. સારાંશ ઈન્દ્રિયની અન્દરની રચનાને આભ્યન્તર રચના કહેવામાં આવે છે. તથા તે જ આત્મપ્રદેશની અન્દર ઈન્દ્રિયેના વ્યવહારને ભજનાર તથા વર્ધકીની માફક કામ કરનાર જે પુગલવિપાકી નિર્માણનામકર્મ, તેણે બનાવેલ જે નિયમિત સંસ્થાનવાળા કાન વિગેરેના આવિશે; તેને બાહ્ય નિર્વત્તિ કહેવામાં આવે છે. અર્થાત બહારની રચનાને બાહ્ય નિવૃત્તિ કહેવામાં આવે છે. અને તે બંને પ્રકારની રચનાને જે દ્વારા ઉપકાર થાય, પરંતુ ઉપઘાત ન પહે; તેને ઉપકરણ ઈન્દ્રિય કહેવામાં આવે છે. સારાંશ શુક્લ કૃષ્ણ મંડલને આભ્યતર ઉપકરણ સમજવું, અને આંખની પાંપણ વિગેરેને બાહ્ય ઉપકરણ સમજવું. આ બન્ને ભેદે દ્રવ્યક્તિના સમજાવવામાં આવ્યા હવે ભાવેન્દ્રિયેના ભેદ સમજાવવામાં આવે છે– Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy