________________
જેન.
૨૬૧
અથવા ઘડાની માફક વ્યુત્પત્તિવાળું તથા શુદ્ધપણું હોવાથી દેવપદ પણ સાર્થક સમજવું. જે દીવ્યતિ પ્રકાશયતિ તે દેવ કહેવાય અર્થાત્ પ્રકાશમય જેનું શરીર હોય, તે દેવ સમજ. આ તે વ્યુત્પત્તિને અર્થ સમજ. અને સમાસ તદ્ધિતથી રહિતપણું તે તેમાં શુદ્ધતા સમજવી.
પૂદશ્યમાન મનુષ્યવિશેષને દેવ કહેવાથી સર્વ પ્રકારની ઉપપત્તિ જ્યારે થઈ શકે છે. ત્યારે અતીન્દ્રિય દેવવિશેષની કલ્પના શા માટે કરવી જોઈએ ? કિંચ શું તમામ મનુષ્યને દેવ તરીકે માને છે તેના ઉત્તરમાં ગુણસંપન્ન મહર્ષિઓને અને દ્વિસંપન્ન ચક્રવર્તિ વિગેરેને દેવ તરીકે માનવા. આથી દેવપદની સાર્થકતા જ્યારે બરાબર થઈ શકે છે ત્યારે અદષ્ટ દેવવિશેષને માનવાની શી જરૂર છે ?
ઉ. મુખ્ય વસ્તુ વાસ્તવિક રીતે જ્યારે પ્રસિદ્ધ હોય, તે જ તેને બીજામાં ઉપચાર થઈ શકે. જેમાં મુખ્ય સિંહ પ્રસિદ્ધ હોવાથી તેજસ્વિ અને શૂરવીર કુમારમાં સિંહની ઉપમા આપી શકાય છે. તેવી રીતે અત્ર મુખ્ય દેવવિશેષ
જ્યાં સુધી પ્રસિદ્ધ ન હોય, ત્યાં સુધી ભેગી તથા ચક્રવર્તી રાજા વિગેરેમાં દેવની ઉપમા કેવી રીતે આપી શકાય? માટે મુખ્યરૂપે દેવતા છે, તેમ માનવાની ખાસ જરૂર છે. તથા બીજી ચુક્તિથી પણ દેવને સિદ્ધ કરવામાં આવે છે. જેટલાં ઘર છે, તે તમામમાં કોઈને કોઈ રહેનાર હવે જોઈએ, તે સિવાય તે બનાવવામાં આવી શકે જ નહિં, જેમ ધર્મ પાળે બનાવેલ સ્થાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org