SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ તત્ત્વાખ્યાન, મણ હેવાથી, તથા મનુષ્યલેકમાં અત્યન્ત દુર્ગન્ધિપણું હોવાથી જેમ અનભિમત સ્થાનમાં નિઃસંગ યતિઓ જતા નથી, તેમ દેવતાઓ પણ અત્ર આવતા નથી. તથા જેમ પિતે ત્યાગ કરેલ મડદા પાસે અત્યન્ત દુર્ગન્ધિપણું હેવાથી મનુષ્ય જતા નથી, તેમ મનુષ્યની દુર્ગધને સહન ન કરી શકનાર દેવતાઓ પણ મનુષ્યલકમાં આવતા નથી. કેવળ પરમાત્માના કલ્યાણકમાં પિતાનું કર્તવ્ય હેવાથી અત્ર આવે છે. તે સિવાય પણ પ્રાચે બીજા કેટલાક કારણોથી અત્રિ આવે છે, તે પણ જણાવવામાં આવે છે. તેમાં ઈન્દ્ર વિગેરે દેવતાઓ પિતાની ભક્તિથી આવે છે, કેટલાક તેમના અનુરોધથી આવે છે, કેટલાક પિતાના સંશયને દૂર કરવા આવે છે, બીજા કેટલાક દેવતાઓ પૂર્વભવના પુત્ર તથા મિત્ર વિગેરેને અનુગ્રહ કરવા યા અનુ. રાગથી પ્રતિબંધ કરવા આવે છે, કેટલાક દેવે મહાન સવવાળા સાધુ-મહાત્માઓના તપગુણથી આકર્ષાઈને આવે છે, કેટલાક પૂર્વભવના વૈરી મનુષ્યને પીડા આપવા આવે છે, કેટલાક કુતૂહળથી કીડા કરવા આવે છે. અને કેટલાક દેવે સાધુઓની તપશ્ચર્યા વિગેરેની પરીક્ષા માટે આવે છે. આ સિવાય આવવાનું કારણ પ્રાયઃ જોવામાં આવતું નથી. આવાં કારણે સિવાય મનુષ્યલકમાં દેવતા આવી શકતા નથી. અનુમાનથી પણ દેવતાઓને સિદ્ધ કરવામાં આવે છે. ગ્રહે જેને લાગ્યા હોય, એવા પુરૂષનું શરીર મનુષ્ય જીવ સિવાય કે અદશ્ય વ્યક્તિના સંગવાળું દેવું જોઈએ, અને જે અદશ્ય વ્યક્તિને તેમાં સંગ છે, તેનું નામ જ ગ્રહ, પિશાચ વિગેરે દેવે સમજવા. નથી. એ યુકિતના છે, તેનું અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy