________________
જનદર્શન.
૨૫૭
કહેવાય. અને જેને મન ન હોય, તે અસંજ્ઞા કહેવાથ. તેમાં સંગ્નિના ચાર ભેદ છે. દેવતા, તિર્યંચ, નારકી અને મનુષ્ય, તેમાં દરેકના અવાન્તર ભેદે ઘણા છે. અત્ર તે નામ માત્ર તરીકે ગણવવામાં આવેલ છે. એકેન્દ્રિમાં જીવની સિદ્ધિ દ્રવ્યપ્રદીપમાં કરેલી હોવાથી અત્ર ફરીથી કરવામાં આવતી નથી. હીન્દ્રિય વિગેરેમાં તે છવ સ્પષ્ટ માલુમ પડતે. હોવાથી તેમાં કંઇપણ પ્રયાસની જરૂર છે જ નહિ. પૂર્વોક્ત જીવના સંબંધમાં વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ આચારાંગસૂત્ર, પન્નવણસૂત્ર, જીવાભિગમસૂત્ર, વિશેષાવશ્યકસૂત્ર, તત્વાર્થવૃત્તિ વિગેરે ગ્રન્થ અવલેકવા. તેમાં ઘણું વિસ્તારથી વિવેચન હોવાથી અત્ર તે માત્ર દિગ્દર્શન કરાવવામાં આવેલ છે. તથા કર્મનું વિવેચન પણ કર્મગ્રન્થ, કર્મપ્રકૃતિ, પંચસંહ, તત્વાર્થવૃત્તિ, લેકપ્રકાશ, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, વિશેષાવશ્યકસૂત્ર વિગેરેમાં ઘણું જ વિસ્તારથી કરેલું હોવાથી અત્ર માત્ર દિગદર્શન સમજવું. વિશેષ જીજ્ઞાસાવાળાએ તે ગ્રન્થ જોઈ સત્યનું સંશોધન કરી લેવું. કિચ જૈનદર્શન સિવાય બીજા કેઈપણ દર્શનમાં કર્મ સંબન્ધિ વિશેષ વિસ્તારથી વિવેચન જેવામાં આવતું નથી, તે પણ ખાસ સૂચવવામાં આવે છે.
સ્વર્ગ-નરકનું વિવેચન. પોતે કરેલ ઉત્કૃષ્ટ પા૫ના ફલ ભોગવવાનું સ્થાન, તે નરક જાણવું. અને ઉત્કૃષ્ટ પુણ્યના ફલને લગાવવાનું સ્થાન, તે સ્વર્ગ સમજવું.
17
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org