________________
૨૫૬
તરવાખ્યાન,
દિવ્યપ્રદીપમાં કરેલું હોવાથી અત્ર તે વાતનું ફરીથી પિષ્ટપેષણ કરવામાં આવતું નથી. આ તમામ કથનથી એ સિદ્ધ થયું કે ચૈતન્યસ્વરૂપ, પરિણામી, શુભાશુભ કર્મને કર્તા અને તેના ફળને સાક્ષાત્ જોક્તા, દેહ પરિમાણ, દરેક શરીરમાં જ
છે અને દિગલિક અદષ્ટવાળો આત્મા જૈનદર્શનમાં માનવામાં આવ્યું છે. જે આવા લક્ષણવાળે હોય તે જ વાસ્તવિક રીતે આત્મા સમજે. તે સિવાયનાં તમામ લક્ષણવાળે આત્મા અસત્યપ્રાય સંમજ.
તે આત્માના બે ભેદ છે. કર્મના સંબંધથી સંબદ્ધ થયેલા સંસારી આત્માઓ અને તેના સંબધથી - હિત થઈ શુદ્ધ-નિમલ થએલા માવસ્થાના આત્માઓ. તેમાં પણ સંસારી આત્માઓના બે ભેદ છે. એક સ્થાવર નામકર્મના ઉદયમાં વર્તનાર સ્થાવર આત્માઓ, અને બીજા ત્રસનામકર્મના ઉદયમાં વર્તનાર ત્રણ આત્માએ. તેમાં થા વરના પાંચ ભેદ છે. પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેજસુકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક આ પાંચે એકેન્દ્રિયવાળા હોય છે. તેમાં વાયુકાયિક અને તેજસકાયિકને ગતિત્રસ તરીકે ગણવામાં આવ્યા છે. ત્રસના બે ભેદ છે. એક ગતિત્રસ અને બીજા લબ્ધિવસ. તેમાં ગતિગ્રસના ભેદે તે જણાવવામાં આવ્યા. હવે લબ્ધિવસના ભેદે ગણાવવામાં આવે છે. દ્વીન્દ્રિયવાળા કૃમિ, જળ વિગેરે, ત્રીન્દ્રિયવાળા કીડા, માંકણ, મકડા, કાનખજુરા વિગેરે, ચતુરિન્દ્રિયવાળા માખી, મચ્છર, ડાંસ, ભમરા, ભમરીઓ વિગેરે. પાંચ ઇન્દ્રિયવાળાના બે ભેદ છે. એક સંજ્ઞા અને બીજા અસંજ્ઞીજે મનનશક્તિવાળા હોય તે સંજ્ઞા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org