________________
૨૫૪
તસ્વાખ્યાન,
છે; તેમ અત્ર પણ કથંચિત્ તાદામ્ય-સંબધ માનવામાં અમને લગાર પણ અડચણ નથી.
તથા જે બાહ્ય સ્થલ શરીર જીવની સાથે સંબન્ધવાળું ઉભું રહે છે, સર્વત્ર હાલવું, ચાલવું, સુવું, બેસવું વિગેરે ક્રિયા કરતું સહુને પ્રત્યક્ષ મૂર્તરૂપે જોવામાં આવે છે. તેમ લાવાન્તર જતાં જીવન સાથે સંબન્ધવાળું, અને કર્મના સમૂહુરૂપ જે કામણ શરીર તે પણ મૂર્ત જરૂર માનવું જોઈએ. કિંચ જેમાં ધર્માધર્મ નિમિત્ત છે અને જેને જીવની સાથે સંબન્ધ છે; એવા આપે માનેલ બાહ્ય શરીર સંબંધમાં પ્રશ્ન પુછવામાં આવે છે, કે આપે માનેલ જે ધમધમે તે મૂર્ત છે કે અમૂર્ત ? આ બે પ્રકને કરવામાં આવે છે. તેમાં જે મૂર્ત છે, એમ માનવામાં આવે તે તે બે મૂર્તને આત્માની સાથે આપ કેવી રીતે સંબન્ધ માને છે તે આપ જણાવશે અને જેવી રીતે આપલેક તે બે મૂતને સંબધ અમૂર્ત આત્માની સાથે માનીને નિર્વાહ કરવા ચાહે છે, તે સંબંધ અમને પણ ઈષ્ટ હોવાથી અમારે તે વિશેષ પરિશ્રમ કરવાની કંઈ જરૂર નથી. તેના બચાવની ખાતર કદાચ એમ કહેવામાં આવે કે ધમધર્મ અમૂર્ત છે. તે પછી તેને બાહ્ય મૂત્ત સ્થૂલ શરીરની સાથે સંબન્ધ કેવી રીતે થઈ શકે? અને સ્થલ શરીર તેનું કાર્ય હેવાથી જ્યારે કાર્ય મૂર્તિ છે, ત્યારે તેનું કારણ અમૂર્ત છે એમ મનાય જ કેવી રીતે ? કિચ સ્થલ શરીરની સાથે તેને સંબન્ધ પણ જરૂર માનવે જ પડશે; કારણ કે સંબન્ધ સિવાય તેમાં સારી નરસી કેઈપણ ચેષ્ટા થઈ શકવાની જ નહિ. માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org