________________
જૈનદર્શન.
૨૫૩
તે તેનાથી સુખ-દુઃખને અનુભવ બિલકુલ થ ન જોઈએ. માટે કર્મ અમૂર્ત નથી. - તથા જેને સંબન્ધ થવાથી દુઃખને અનુભવ થાય છે, જેમ સર્પનું ડસવું, અગ્નિથી બળવું, વિષપાન વિગેરે ચીને
ખના કારણરૂપે હેઈ કરીને મૂર્ત જોવામાં આવે છે, તેમ અત્ર પણ તેવા ખરાબ કર્મના અનુભવથી દુખને અનુભવ થાય છે, માટે જરૂર તેને મૂર્ણ માનવું જોઈએ.
તથા જેવી રીતે જે માટી ચીકાશવાળી હોય અને તેનાથી બનેલ ઘડે જેમ ઘણે જ મજબૂત અને મૂર્ત હોય છે, તેમ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, એગ વિગેરે મજબૂત કર્મના હેતુ ભૂત વસ્તુઓ દ્વારા કર્મમાં પણ મજબૂતી આવતી હોવાથી તે પણ મૂd હેવું જોઈએ.
તથા દુધમાં જેમ પરિણામીપણું હોવાથી મૂર્ણપણું જોવામાં આવે છે, તેમ કર્મમાં પણ પરિણામીપણું અને આત્માથી કર્થચિત્ ન્યારાપણું હોવાથી તે પણ મૂર્ત છે એમ માનવું જોઈએ.
' પૂ. જ્યારે કર્મ મૂર્ત છે, ત્યારે આત્માની સાથે શું કથંચિત તેને સંગસંબન્ધ છે. અથવા કથંચિત્ તાદાઓસંબન્ધ છે? આ બે પ્રીને પુછવામાં આવે છે.
ઉજેમ મૂર્ત ઘટને અમૂર્ત આકાશની સાથે સંગ સંબન્ધ માનવામાં આવે છે, તેમ અત્ર પણ જીવ અને કમને સંયોગસંબધ સમજે. તથા અંગુલિરૂપ દ્રવ્યને આકંચન વિગેરે કિયાની સાથે જેમ કથંચિત તાદામ્ય-સંબધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org