________________
જૈનદર્શન.
૨૪૬
ભાઈના ઉત્પાદ સમાન જાણવું. કેવળ નામમાં જ ભિન્નતા રહેવાની. તેને જોવાથી આ૫ ભૂતસ્વભાવને કારણ કહેવા માગે છે અને અમે તેની વિચિત્રતામાં અદણને કારણ તરીકે માનીએ છીએ. બીજી તે કાંઇ પણ ભિન્નતા છે જ નહિ. ખાલી નામમાં જ ફેર રહ્યો. માટે આ પક્ષ પણ અમને બાધકર છે જ નહિ.
પ્રકારાન્તરથી કર્મની સિદ્ધિ. કમને નહિં માનનાર ચાર્વાક લેક તથા વેદાનિતકે તરફથી જે કહેવામાં આવે છે, તે સમજાવીને પછી તેનું નિરાકરણ પણ કરવામાં આવશે.
પૂ૦ ધર્મધર્મ વિગેરે જ્યારે આકાશ-પુષ્પસમાન છે, ત્યારે તેને ફળભૂત સ્વર્ગ-નરકની તે વાત જ શી કરવી ?
ઉં જ્યારે સુખ-દુઃખના કારણરૂપ ધમધર્મ નથી, ત્યારે તેને ઉત્પાદ જ કેવી રીતે થઈ શકે? અને એ વાત તે પ્રત્યક્ષ વિરુદ્ધ છે. કારણ કે મનુષ્યપણું દરેકમાં સરખું છે, તે પણ કેટલાક સ્વામિપણું ધારણ કરે છે અને કેટલાક સેવકે છે. કેટલાક લક્ષાવધિ અનુબેને પાલન કરવામાં સમર્થ છે અને કેટલાક પિતાના નડ કરવામાં પણ અશક્ત હોય છે. કેટલાક દેવતાની મા ફ નિરન્તર અનેક પ્રકારના ભેગો ભેગવે છે અને કેટલાક નકીની માફક અત્યન્ત ભયંકર દુઃખેને ભગવે છે. આથી જાણવું જોઈએ કે આ પ્રકારને સુખ-દુઃખને અતુ ભવ પુણ્ય પાપ સિવાય હોઈ શકે જ નહિ તે વાતને અનુમાન પણ ટેકો આપે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org