________________
૨૩૮
તત્ત્વાખ્યાન.
રૂપે માલુમ પડે છે, પરંતુ સ્વભાવથી તેમ નથી. અને એક માનવામાં લાઘવતા પણ ઘણી આવે છે, માટે આત્મા એક જ માનવો જોઈએ. - ઉપર્યુકત વેદાન્તિકનું કથન મિથ્યા હોવાથી આદરવ. લાયક નથી. જે કદાચ તેના વિચાર પ્રમાણે આત્મા એક જ માનવામાં આવે, તે એકના જન્મમાં સર્વને જન્મ, એકના મરણમાં સર્વનાં મરણ, એકની બાલ્યાવસ્થામાં સર્વ બાલક, એકના યુવાન થવામાં સર્વ યુવકે બનવાના; એ વાત તે ન્હાનું બાળક પણ માની શકે તેમ નથી, તે પછી બીજાની તે વાત જ શી કરવી? માટે એકાત્મવાદ કોઇપણ બુદ્ધિશાળીને માનવા લાયક નથી. કિંચ લક્ષણ વિગેરેના ભેદથી પણ ઘટ વિગેરેની માફક પરસ્પર ભેદ સવભાવવાળા જગ
માં જીવાત્માઓ ઘણા છે. જેને પરસ્પર ભેદ હેત નથી, તેના લક્ષણમાં પણ ભેદ સંભવ નથી, જેમ આકાશ વિગેરે. અને અત્ર તે દેવતા, નારકી, મનુષ્ય,તિય ચ વિગેરેનાં લક્ષણે શાલામાં ભિન્ન ભિનરૂપે ઘણે ઠેકાણે પ્રતિપાદન કરવામાં આવ્યાં છે. બહુ આરંભ વિગેરે કરનાર નરકનું આયુષ્ય બાંધે છે, બહુ માયા વિગેરે કરનાર તિર્યંચનું આયુષ્ય બાંધે છે. સરળ સ્વભાવ તથા અલ્પ મૂછી વિગેરે કરનાર મનુષ્યનું આયુષ્ય બાંધે છે, અને સરાગ સંયમની પાલના વિગેરે કાર્ય કરનાર દેવતાના આયુષ્યને બન્ધ કરે છે.
આ લક્ષણભેદ જ્યારે સ્પષ્ટપણે માલમ પડે છે, ત્યારે . એકાત્મવાદ મનાય જ કેવી રીતે? કિંચ જે જ્ઞાન દર્શનના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org